કેજરીવાલના રાજમાં આવતીકાલે 10 કલાક અંધારપટ છવાશે
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: દિલ્હીવાસીઓને 1 ફેબ્રુઆરીથી ભારે વિજકાપની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દિલ્હીમાં વિજળી પુરી પાડતી કંપની બીએસઇએસ યમુનાએ દિલ્હી સરકારને પત્ર લખ્યો છે. પત્રમાં કહ્યું છે કે કંપની આર્થિક સ્થિતી નબળી છે. એવામાં 1 ફેબ્રુઆરીથી આ એ વિસ્તારોમાં વિજળીનો કાપ થઇ શકે છે કે વિસ્તારોમાં કંપની વિજળી પુરી પાડે છે.
રિલાયન્સ ઇંફ્રા સાથે જોડાયેલી વિજ વિતરણ કંપની બીએસઇએસ યમુના પાવર લિમિટેડે પત્રમાં કહ્યું હતું કે આર્થિક તંગીના લીધી તે કંપની વિજળી ખરીદી શકતી નથી. કંપનીના અનુસાર પૂર્વી દિલ્હીના વિસ્તારોમાં 8 થી 10 કલાક વિજ કાપ થઇ શકે છે. મળતી માહિતી મુજબ જરૂરિયાત હોવા છતાં બીએસઇએસ-યમુના લગભગ 500 મેગાવોટ વિજળી નહી ખરીદે અને તેની ભરપાઇ કલાકોના કાપથી કરવામાં આવશે.
દિલ્હીના વિદ્યુત સચિન પુનીત ગોયલને લખેલા પત્રમાં બીએસઇએસે સરકાર પાસે નાણાંકીય મદદની માંગણી કરી છે જેથી તે આ મુશ્કેલીમાંથી નિકળી શકે. કંપનીનું કહેવું છે કે તેની પાસે એનટીપીસી અને એનએચપીસી સહિત અન્ય સરકારી ઉત્પાદકોને આપવા માટે પૈસા નથી. કંપનીનું કહેવું છે કે બેંકોએ નવા ફડીંગ પાછા લઇ લીધા છે અને તેથી તેમના માટે શહેર માટે વિજળી એકઠે કરવી મુશ્કેલ બની ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિજ કંપનીઓ દિલ્હી સરકારને સસ્તી વિજળી આપવાના નિર્ણયથી નારાજ છે. દિલ્હીની કેજરીવાલ સરકારે પોતાના ચૂંટણી વાયદા મુજબ સત્તા પર બિરાજમાન થયા બાદ થોડા દિવસોમાં જ વિજ દરોને અડધા કરી દેવાની જાહેરાત કરી હતી. જાહેરાત મુજબ જે લોકો 0 થી 200 અને 2001 થી 400 યૂનિટ સુધી વિજળી ખર્ચ કરે છે તેના ભાવ અડધા કરી દેવામાં આવશે.
આ ઉપરાંત વિજ વિતરણ કંપનીઓ કેજરીવાલ સરકારના નવા નિર્ણયથી નારાજ જોવા મળી રહી છે. જેમાં તેને કેગ દ્વારા કંપનીઓના ખાતાની તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. કંપનીઓ આ નિર્ણયના વિરોધમાં કોર્ટમાં પણ ગઇ હતી પરંતુ કોર્ટે કેગ તપાસ પર પ્રતિબંધ લગાવવાની મનાઇ કરી દિધી છે.
-
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
