એક જ પરિવારના ચાર સભ્યો ઘરમાંથી મૃત હાલતમાં મળ્યા, મૃતકોમાં 2 બાળકો પણ શામેલ
દેશની રાજધાની દિલ્હીના સમયપુર બદલી વિસ્તારમાં મંગળવારની સવારે બે બાળકો સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા, પોલીસે આ અંગે માહિતી આપી હતી.
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીના સમયપુર બદલી વિસ્તારમાં મંગળવારની સવારે બે બાળકો સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા, પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, અમિત કુમાર (30), તેમની 25 વર્ષની પત્ની અને છ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષનો પુત્ર ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આ સાથે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મૃત્યુનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. જો કે, પ્રાથમિક દ્રષ્ટિએ તે આત્મહત્યા અને ઝેર પીવાની ઘટના હોવાનું જણાય છે. જો કે, પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ કેસની તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને એ પણ જાણવામાં આવી રહ્યું છે કે, જો આ આત્મહત્યાનો કેસ છે, તો કયા સંજોગો અને ક્યા કારણોસર સમગ્ર પરિવારને આ પગલું ભરવાની ફરજ પડી છે.
આ સાથે તેમણે જણાવ્યું કે, આ પરિવારના એક સંબંધીએ સવારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.