ઇટલી પડ્યું નરમ, મરિન્સ આજે ભારત પરત ફરશે
નવી દિલ્હી, 22 માર્ચ: ઇટલી સાથે ચાલુ મરિન્સ વિવાદમાં ભારતને મોટી કૂટનીતિક સફળતા મળી છે. બે ભારતીય માછીમારોની હત્યાના આરોપનો સામનો કરી રહેલાં પોતાના બે મરિન્સને ઇટલીએ કાયદાકીય ટ્રાયલ માટે ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. આ બંને મરિન્સને એક વિશેષ વિમાનથી ભારત મોકલવામાં આવશે. બંને શુક્રવારે ભારત પરત ફરે તેવી સંભાવના છે. આ બંનેની ભારત પરત ફરવાનો સમયગાળા આજે પુર્ણ થઇ રહ્યો છે. આ પહેલાં ઇટલીના આ મરિન્સને ભારત પરત મોકલવાથી મનાઇ કરી દિધી હતી.
ભારતે ઇટલા આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ઇટલી સરકારની દ્રારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારત તરફથી આ બંને મરિન્સને મૌલિક અધિકારોની રકાનું આશ્વાસન મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં જણાવ્યા મુજબ મરિન્સ ભારત જવા માટે રાજી છે. ઇટલીના વડાપ્રધાન મોન્ટી મારિયોએ રક્ષા મંત્રી જિયામપાઅલો ડિ પાઅલો સાથે ગુરૂવારે બેઠક બાદ મરિન્સને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો હતો.

બંને મરિન્સ પર આરોપ છે કે ગત વર્ષે તેમને કેરલના સમુદ્ર કિનારે બે ભારતીય માછીમારોની હત્યા કરી દિધી હતી. આ હત્યાના આરોપોનો સામનો કરી રહીલા આ મરિન્સને ફેબ્રુઆરીમાં સુપ્રિમ કોર્ટે ઇટલીની ચુંટણીમાં ભાગ લેવા માટે પરવાનગી આપી હતી અને શરત મુકી હતી 4 અઠવાડિયામાં તેમને ભારત પરત ફરવું પડશે. પરંતુ ઇટલી ગયા બાદ તેમને ભારત પરત ફરવાની મનાઇ કરી દિધી હતી, ઇટલી સરકારે આને આંતરરાષ્ટ્રીય મુદ્દો ગણાવીને તેમનો સાથ આપ્યો હતો અને કહ્યું હતું કે આને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઉકેલવામાં આવે.
ત્યારબાદ બંને દેશો વચ્ચે આ મુદ્દે વિવાદ શરૂ થઇ ગયો. ત્યારબાદ સુપ્રિમ કોર્ટે ઇટલીના રાજદૂર ડેનિયલ મેનચિનીને દેશ છોડવા પર મનાઇ ફરવાની દિધી હતી. જેની ઇટલી સરકારે ટીકા કરતાં કહ્યું હતું કે ભારત 1991ની વિયેના કન્વેન્શનનો ઉલ્લંઘન કરી રહી છે. યુરોપીય સંઘે ભારતના આ પગલાંની ટીકા કરી હતી. કોંગ્રેસ સુપ્રિમો સોનિયા ગાંધીએ ઇટલીને કડક શબ્દોમાં ચેતાવણી આપી હતી કે તે ભારતને નબળું ન સમજે. ભારતના રણનિતીક દબાણ આગળ નબળું પડતાં ઇટલીએ આ મરિન્સને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
