For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા, રાહુલમાં હિંમત હોય તો ચર્ચા કરે: કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal-protest
નવી દિલ્હી, 21 ઑક્ટોબર: ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના નેતા અરવિંદ કેજરીવાલે યૂપીએ પ્રમુખ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીને ચર્ચા માટે પડકાર્યા છે. દિગ્વિજય સિંહે પૂછેલા 27 પ્રશ્નોના જવાબમાં કેજરીવાલે આ પડકાર ફેંક્યો છે. કેજરીવાલે ટિ્વટર પર લખ્યું હતું કે દિગ્વિજય સિંહના બધા જ પ્રશ્નોના ત્યારે જ આપશે જ્યારે તે તેમના પ્રશ્નોના જવાબ આપશે.

કેજરીવાલે કહ્યું હતું કે તેમને વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રોબર્ટ વાઢેરાને પણ પ્રશ્નો પૂછ્યાં હતા તેનો એકપણ જવાબ મળ્યો નથી. તેમને કહ્યું હતું કે જો હિંમત હોય તો વડાપ્રધાન સાહેબ, પૂપીએ અધ્યક્ષ અને રાહુલ ગાંધી અમારી સાથે ખુલીને ચર્ચા કરે.

આમ માનીએ તો કેજરીવાલની વાતમાં દમ છે. જો વાઢેરા પર લાગેલા આરોપો ખોટાં છે, સલમાન ખુર્શીદે કોઇ કૌંભાડ નથી કર્યું અને યૂપીએ સરકાર સંપૂર્ણ રીતે પાક છે તો ખુલીને ચર્ચા કરવામાં શું જાય છે. સંસદમાં વિપક્ષી દળો સાથે ચર્ચા કરવામાં કશું થતું ના હોય તો કેજરીવાલ સાથે ચર્ચા કરવામાં કઇ વાતનો ડર છે.

પ્રજાના મનમાં હાલ એ પ્રશ્ન ઉદભવે છે કે શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ખુલીને ચર્ચા કરવાની તાકાત ધરાવે છે. અને જો ધરાવે છે તો શું તે ચર્ચા કરી શકશે શું કેજરીવાલને બધા પ્રશ્નોના જવાબ આપી શકશે. અત્યાર સુધી તો આ પ્રશ્નોના જવાબ નથી.

English summary
Arvind Kejriwal has hit back at Congress general secretary Digvijay Singh, asking the latter to convince top leaders in his party like Sonia Gandhi, Rahul Gandhi and Manmohan Singh to take part in a public debate on issues raised by him against the IAC leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X