કેજરીવાલના સ્પેશ્યલ 21 નહિ બની શકે સંસદીય સચિવ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્લી સરકારના સંસદિય સચિવ બિલને કેન્સલ કરી દીધુ છે. સંસદીય સચિવ તરીકે નિયુક્ત થયેલા આમ આદમી પાર્ટી પોતાના 21 સાંસદોને ઓફિસ ઓફ પ્રોફિટની શ્રેણીમાં આવી જતા કેજરીવાલ સરકાર આ બિલ લાવી હતી. આ બિલ મંજુરી માટે એલજી નજીબ જંગને મોકલવામાં આવ્યુ હતુ. જેને તેમણે કેન્દ્ર સરકારને મોકલ્યુ, ત્યાર બાદ આ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યુ.
જો કે, રાષ્ટ્રપતિએ આ બિલને ઠુકરાવી દીધુ છે. જે રીતે આ બિલને પસાર કરવામાં આવ્યુ તે રીત યોગ્ય નથી જેથી તેના પર રોક લગાવવામાં આવી છે. પરિણામે આમ આદમી પાર્ટીના આ 21 સાંસદોની સભ્યતા ખતરામાં આવી ગઈ છે. 21 આમ આદમી પાર્ટીના વિધાયકોને સંસદિય સચિવ બનાવવામાં આવ્યા હતા. તો આ 21 સાંસદોની સભ્યતા કાયમ રખાશે કે શુ-એ મોટો પ્રશ્ન છે? રાષ્ટ્રપતિ દ્વારા આ બિલ કેન્સલ થતા કેજરીવાલ સરકારને નુક્શાન તો જરૂર થયું છે.

રાષ્ટ્રપતિ દ્વારા આ બિલ કેન્સલ કરતા કેજરીવાલે મોદીને નિશાને લીધા છે. કેજરીવાલનુ કહેવુ છે કે, 'મોદી લોકતંત્રનુ સન્માન કરતા નથી. તેઓ માત્ર આમ આદમી પાર્ટીથી જ ડરે છે'. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાનુ કહેવુ છે કે, 'સાંસદ સચિવનુ પદ કોઈ લાભનુ પદ નથી. સાંસદોને આ પદ ને લગતી કોઈ સુવિધાઓ અપાતી નથી. તેમને આ જવાબદારી લોકહિત ખાતર અપાઈ છે. જેને લીધે તેઓ કોઈ વેતન લેતા નથી'.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ





Click it and Unblock the Notifications
