રાષ્ટ્રપતિ પદ માટે અડવાણી છે બિલ્કુલ ફિટ: નિતિન ગડકરી
એક ખાનગી ચેનલના એક કાર્યક્રમમાં કેન્દ્રિય સડક પરિવહન મંત્રી ગડકરીએ કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીજીને લોકસભાના અધ્યક્ષ બનાવવા યોગ્ય નથી કારણ કે પાર્ટીના અનુભવી નેતા પહેલાં પણ ઉપવડાપ્રધાન રહી ચૂક્યાં છે. નિતિન ગડકરીના અનુસાર લાલકૃષ્ણ અડવાણીના કદ મુજબ તેમના માટે દેશના રાષ્ટ્રપતિનું પદ અનુકુળ છે.
તેમણે કહ્યું કે અમે બધા લાલકૃષ્ણ અડવાણીજીનું સન્માન કરીએ છીએ અને અમે ઇચ્છીએ છે કે તેમના કદ મુજબ કોઇ યોગ્ય પદ મળવું જોઇએ. નિતિન ગડકરીએ કહ્યું કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવેકપૂર્ણ નિર્ણય કર્યો કે 75 વર્ષથી મોટી ઉંમરના નેતાઓને મંત્રી બનાવવામાં ન આવે, જેના લીધે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતા કેન્દ્રિત કેબિનેટમાં સ્થાન મળી શક્યું નહી.
નિતિન ગડકરીએ લાલકૃષ્ણ અડવાણીની તુલના બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એકસમયે નાયકની ભૂમિકા ભજવતા નથી કારણ કે પેઢી બદલાઇ ગઇ છે, તે પ્રમાણે લાલકૃષ્ણ અડવાણીજીને પણૅ તેમના કદ મુજબ પદ મળવું જોઇએ. તેમણે મીડિયામાં લગાવવામાં આવી રહેલી અટકળોને નકારી કાઢી દિધી કે જોશી યોજના પંચના ઉપાધ્યક્ષ બનવા માંગે છે.