પૂર્વ વડાપ્રધાન ડૉ. વડાપ્રધાન મનમોહન સિંહને જાપાની એવોર્ડ
નવી દિલ્હી, 4 નવેમ્બર: પૂર્વ વડાપ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને શિંજો એબેના નેતૃત્વવાળી જાપાનની સરકારે સિવિલિયન એવોર્ડ 'ધ ગ્રાંડ કોર્ડન ઓફ ધ ઓર્ડર ઑફ પોલોનિયા ફ્લાવર્સ'થી નવાજવાનો નિર્ણય કર્યો છે. ગત 35 વર્ષોમાં ભારત-જાપાનના સંબંધોને મજબૂત બનાવવાના ક્ષેત્રમાં અગ્રણી યોગદાન માટે મનમોહનને આ એવોર્ડ જશે. આ એવોર્ડ 2014ના વાર્ષિક ઇંપીરિયલ ડેકોરેશન ઑફ જાપાન અંતગર્ત છે.
તેના પર મનમોહન સિંહ તે 57 વિદેશીઓમાંથી એક હશે જેમને આ એવોર્ડ આપવમાં આવશે. એવોર્ડ મળતાં તે કહેશે ''જાપાન સરકાર અને જાપાનના લોકોને પ્રેમનો જે વરસાદ મારા પર કર્યો છે, તેના માટે હું કૃતજ્ઞ છું. ભારત અને જાપાન હંમેશાથી એશિયાને આગળ વધારવા માટે બંને દેશો વચ્ચે સારા સંબંધ કાયમ છે. મને તેમાં કોઇ શક નથી કે ભારત અને જાપાનના લોકો આ પ્રકારે પણ સારા સંબંધ કાયમ રહેશે અને નવી ઉંચાઇઓને અડકશે.''

જવા દો આ વાતો તો ત્યારે થશે, જ્યારે મનમોહનને આ સન્માનથી નવાજવામાં આવશે, પરંતુ આ એવોર્ડનું સાચું કારણ શું છે? મનમોહન, જેમણે 10 વર્ષો સુધી જાપાનની એક-બે યાત્રાઓ કરી અથવા પછી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે એકવાર જાપાન ગયા અને ત્યાં લોકોના દિલમાં વસી ગયા.
આ કહાણી સાથે જોડાયેલા તે તથ્યોને ખૂબ ઓછા લોકો જાણે છે, કે જાપાન યાત્રાની અપાર સફળતાનું કારણ નરેન્દ્ર મોદી બન્યા અને આ એવોર્ડ માટે મનમોહન સિંહનું નામ આવવું એક અલગ મુદ્દાને ઉછાળે છે. હવે જોવાનું એ હશે કે મનમોહન સિંહ આ એવોર્ડને કેવી સ્વિકારે છે. જો કે કેન્દ્ર સરકારના એક અધિકારીને આ કામ સોંપવામાં આપવામાં આવ્યું છે કે તે તેમની પાસે સહમતિ પ્રાપ્ત કરી જાપાનને મોકલે.












Click it and Unblock the Notifications
