MCD election result 2022 : જીત્યા બાદ બોલ્યા કેજરીવાલ, PM મોદીના આર્શિવાદથી અમે દિલ્હીમાં વિકાસ કરીશું
MCD election result 2022: દિલ્હી નગર નિગમની ચૂંટણીનું પરિણામ આમ આદમી પાર્ટી (APP)ના પક્ષમાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ભાજપના દોઢ દશક જૂના ગઢમાં ગાબડુ પાડ્યું છે.
MCD election result 2022: દિલ્હી નગર નિગમની ચૂંટણીનું પરિણામ આમ આદમી પાર્ટી (APP)ના પક્ષમાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ભાજપના દોઢ દશક જૂના ગઢમાં ગાબડુ પાડ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની મોટી જીત ગણાવી છે.
જે બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાર્ટી કાર્યકર્તાઓએ સંબોધિત કર્યા હતા.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આટલી મોટી જીત, આટલી ભવ્ય જીત માટે, હું દિલ્હીના લોકોને આટલા મોટા પરિવર્તન માટે અભિનંદન આપવા માંગુ છું. દિલ્હીની જનતાએ તેમના પુત્ર અને ભાઈને એટલો લાયક ગણ્યો કે અમને મહાનગરપાલિકાની જવાબદારી સોંપવામાં આવે. તેમણે અમને જે પણ જવાબદારી આપી હતી. અમે લાખો કરોડો બાળકોનું ભવિષ્ય બનાવ્યું છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, અમે લોકોની સારવારની વ્યવસ્થા કરી છે. લોકોએ અમને વીજળીની જવાબદારી આપી એટલે અમે વીજળી સુધારી. આજે દિલ્હીની જનતાએ તેમના પુત્રને સ્વચ્છતાની જવાબદારી સોંપી છે, તો અમે તેને પૂરી કરીશું. તમારા પ્રેમ અને વિશ્વાસનું ઋણ હું ચૂકવી શકીશ નહીં. તમારો વિશ્વાસ જાળવી રાખવાનો હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, હવે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. હું સૌથી વધુ અપીલ કરું છું. તમામ ઉમેદવારો, જે પક્ષોમાંથી આજ સુધી રાજકારણ જ હતું. હવે બધાએ કામ કરવું પડશે. સૌએ સાથે મળીને દિલ્હીને યોગ્ય કરવું પડશે. હું આમાં ભાજપનો પણ સહકાર ઈચ્છું છું. હું કોંગ્રેસનો પણ સહકાર ઈચ્છું છું. જેમણે અમને વોટ નથી આપ્યા તેઓએ પહેલા તેમનું કામ કરવું પડશે. હું દિલ્હીને ઠીક કરવા માટે વડાપ્રધાનના આશીર્વાદ પણ ઈચ્છું છું. દિલ્હીને સાફ કરવું પડશે. દરેકની ફરજ આમાં શામેલ થશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આપ વાલે ને જોઈને લોકોએ આદરભાવ અનુભવવો જોઈએ. અમે નકારાત્મક રાજનીતિ કરવા માંગતા નથી. આજે દિલ્હીની જનતાએ સાબિત કરી દીધું છે કે, શાળાઓ અને હોસ્પિટલોના મુદ્દે પણ વોટ મળી શકે છે. જો આપણે એકબીજા પર ખરાબ રાજનીતિ કરીને આરોપપ્રત્યારોપ કરતા રહીશું, તો દેશ કેવી રીતે આગળ વધશે. આમ આદમી પાર્ટી જે મુદ્દા ઉઠાવી રહી છે, તેનાથી દેશની પ્રગતિ થશે. દિલ્હીની જનતાએ દેશને મોટો સંદેશ આપ્યો છે કે, સકારાત્મક રાજનીતિ કરો, નકારાત્મક રાજનીતિ ન કરો.
પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને સલાહ આપતા કેજરીવાલે જણાવ્યું હતું કે, અહંકારી ન બનો, ઘમંડના કારણે મોટી મોટી હસ્તી ખોવાઇ ગઇ છે. ઘણા કાઉન્સિલર બન્યા છે, ધારાસભ્ય બન્યા છે. કોઈ અહંકાર ના રાખો. અહંકાર બતાવીએ તો લોકો માફ કરે કે ન કરે, ભગવાન માફ નહીં કરે અને તમારું પતન ચોક્કસથી થશે.
દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પાર્ટી કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે, AAPને જનાદેશ આપવા બદલ અમે દિલ્હીની જનતાનો આભાર માનીએ છીએ. આ માત્ર જીત નથી, પરંતુ દિલ્હીને સ્વચ્છ અને બહેતર બનાવવાની મોટી જવાબદારી છે.
મનીષ સિસોદિયાએ જણવ્યું હતું કે, આજે દિલ્હીએ માત્ર કેજરીવાલને જીતાડવાનો સંકેત આપ્યો નથી, પરંતુ છેલ્લા 15 વર્ષથી દિલ્હીને લૂંટી રહેલા ભાજપને ભગાડવાનું કામ પણ કર્યું છે. MCD માં ભાજપ 15 વર્ષથી સત્તામાં હતું, તેને હટાવીને દિલ્હીની જનતાએ કેજરીવાલને તક આપી છે. આ માત્ર એક વિજય નથી, પરંતુ એક મોટી જવાબદારી છે. દિલ્હીને સાફ કરવાની જવાબદારી. દિલ્હીને ચમકાવવાની જવાબદારી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, MCD માં 15 વર્ષ સુધી જનતાની જીત થઈ હતી. દિલ્હીને દેશનું હૃદય કહેવામાં આવે છે. દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને જીતાડી દીધા છે. આ સાથે ભગવંત માને ગુજરાતમાં પણ જીતનો દાવો કર્યો હતો.
8 ડિસેમ્બરના રોજ સવારે 8.15 કલાકે ગુજરાતના એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. રાજનીતિની દશા અને દિશા બદલવા માટે અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાંથી બહાર આવ્યા હતા. અમે આગળ વધીશું. અમે માત્ર વચનો જ નથી આપતા, પણ તેને પૂરા પણ કરીએ છીએ.