Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોદીનો ભય, ઉનાળાની રજાઓ નહી માણી શકે અધિકારીઓ!

narendra-modi
નવી દિલ્હી, 17 જૂન: આ વર્ષે ઉનાળામાં કેન્દ્રિય મંત્રાલયોના ઓફિસોનો નજારો બદલાઇ ગયો છે. આ વર્ષે ઉનાળા દરમિયાન સામાન્ય રીતે ખાલી રહેનાર ઓફિસોમાં ચહલપહલ અને કામકાજનો માહોલ બનેલો છે.

જો કે મોદી રાજમાં હવે ઓફિસર દિલ્હીની આકરી ગરમી છતાં વિદેશ નહી દેશની અંદર જ પ્રવાસ કરવાનું ટાળી રહ્યાં છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પહેલાં જ મંત્રીઓ અને અધિકારીઓને વિદેશી પ્રવાસને સખત નિયમ આવી ચૂક્યાં છે.

આ મોદી સરકારનો ખૌફ છે સરકારી પ્રવાસના નામ પર વિદેશી ટૂર તો દૂર લગભગ બધા મંત્રાલયોના સચિવ અને વધારાના સચિવ સ્તરના અધિકારી પોતાના પરિવારની સાથે રજા પર પણ જવાનું ટાળી રહ્યાં છે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે પહેલાં મંત્રાલયોના સચિવ અને વધારાના સચિવ સ્તરીય અધિકારીઓની ફૌજ રજા પર જતી રહેતી હતી, જેથી જૂનિયર અધિકારી અને કર્મચારીઓને લાંબી રજા લેવામાં કોઇ રોકટોક કે નિયંત્રણ ન હતું.

પરંતુ હવે ઉચ્ચઅધિકારીઓ રજા પર ન જતાં જૂનિયર અધિકારીઓની પણ રજા લેવાની હિંમત થતી નથી. કેન્દ્રિય મંત્રી વેંકૈયા નાયડૂ, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને જિતેન્દ્ર સિંહ તો પોતાના કાર્યાલયમાં ફરી ફરીને ઓફિસરોના રૂમ જોઇ રહ્યાં છે કે કોણ છે અને કોણ નહી. તેને લઇને ઓફિસરોમાં હડકંપ છે.

ઓફિસોમાં સફાઇ કામ પણ જોવું પડે છે. શહેરી વિકાસ મંત્રાલ્યના સચિવ સુધીર કૃષ્ણ, સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ બિમલ જુલકા સહિત કેટલાક ઉચ્ચાધિકારી દરરોજ પોતાના મંત્રાલ્યના કોરિડોરમાં સફાઇનું નિરિક્ષણ જોઇ રહ્યાં છે.

કેન્દ્રિય વિજ્ઞાન તથા ટેક્નોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે તો પોતાના મંત્રાલયની તરફથી વિજ્ઞાન અને ટેક્નોલોજી સંમેલનો માટે વિદેશી પ્રવાસ પર જનાર અધિકારીઓની એક યાદી તૈયાર કરી લીધી છે. તેમના કામ પર નજર રાખવામાં આવી રહી છે.

તેમણે આદેશ આપ્યો છે કે તેમના મંત્રાલય તરફથી સરકારી પ્રવાસમાં ના તો તે અને ના તો કોઇ સરકાર અધિકારી જશે. પરંતુ વિજ્ઞાન અને ટેક્નોલોજીને લઇને સંમેલનોમાં વૈજ્ઞાનિકોનું પ્રતિનિધિમંડળ જ જશે.

પીએમઓ પહેલાં જ આદેશ આપી ચૂક્યાં છે કે મંત્રીઓ અને ઓફિસરોને પોતાના વિદેશી પ્રવાસને લઇને ઓછામાં ઓછા દસ દિવસ પહેલાં નોટિસ આપવી પડશે. સાથે જ પરત ફરતાં જ પોતાના પ્રવાસનું વિવરણ આપવું પડશે.

જો કે ઓફિસરોને પર્સનલ રજા લેવાની આપરાધિક પાબંધી લગાવવામાં આવી નથી પરંતુ જે પ્રકારે મોદી સરકારમાં કામકાજને લઇને વડાપ્રધાનમંત્રીથી માંડીને આ વખતે ઓફિસમાં જ સક્રિય રહેવામાં ભલાઇ સમજી રહ્યાં છે.

મુખ્તાર અબ્બાસ નક્વી, ભાજપના ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે અમારી સરકાર ઇકબાલ અને ઇમાનદારીથી ચાલી રહી છે. પરંતુ સરકારમાં સુશાસનની વાત થાય છે તો સરકારમાં કામ કરી રહેલાં લોકો પણ ઇમાનદારીથી કામ કરવામાં જોડાઇ જાય છે. આ ઇમાનદારી ઉપરથી લઇને નીચે સુધી સરકારમાં દેખાવવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X