સહમતિની સ્થિતીમાં પવારને PM બનાવવા તૈયાર: પ્રફુલ્લ પટેલ
પ્રફુલ્લ પટેલે એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે 'આ પ્રકારની અટકળો છે કે કોંગ્રેસ સાથે રાકાંપાનું વિલય થઇ રહ્યું છે. આ ક્યારેત થઇ શકે તેમ નથી. મારું માનવું છે કે આ પ્રકારની વાતો પાયાવિહોણી અને ખોટી છે.' તેમને કહ્યું હતું કે 'શરદ પવાર રાકાંપાના અધ્યક્ષ છે. જો તે ચુંટણી ના લડે તો પાર્ટીની કમાન તેમના હાથમાં હશે. તે અમારી પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર છે.'
તેમને પૂછવામાં આવ્યું કે જો આગામી ચુંટણીમાં યુપીએને બહુમત મળે છે તો તે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કામ કરવા માટે તૈયાર છે તો તેમને કહ્યું હતું કે 'નિશ્વિતપણે'. રાહુલ ગાંધી અંતગર્ત અને શરદ પવારના કામ સાથે સંકળાયેલ પ્રશ્ન અંગે તેમને કહ્યું હતું કે કોણ નિર્ણય (યુપીએ સરકાર વિશે) લે છે. તે કોઇ મુદ્દો નથી. સરકાર સૌથી મોટી મોટી પાર્ટીના આધારે ચાલે છે. યુપીએમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે અને એવું લાગતું નથી કે ભવિષ્યમાં તે સૌથી મોટી પાર્ટી બની રહેશે.