For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આગામી મહિને કરી શકે છે મંત્રિમંડળનું વિસ્તરણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

namo8
નવી દિલ્હી, 28 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને પોતાના મંત્રિમંડળનું વિસ્તરણ કરી શકે છે. મીડિયા રિપોર્ટના હવાલેથી આવું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદી આગામી મહિનાના મધ્ય એટલે કે 15 ઓગષ્ટ સુધી પોતાના મંત્રિમંડળનું વિસ્તાર કરી શકે છે.

માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળમાં લગભગ 12 નવા મંત્રીઓનો સમાવેશ કરી શકે છે. રિપોર્ટ અનુસાર સંસદ સત્ર પુરું થયા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરી નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. અત્યારે નરેન્દ્ર મોદી કેબિનેટમાં 44 મંત્રી છે જેમાં 22 કેબિનેટ અને 22 રાજ્યકક્ષાના મંત્રી છે. નવા ચહેરાઓમાં હજારીબાગથી ભાજપના સાંસદ જયંત સિંહાનો સમાવેશ કરવામાં આવી શકે છે જે વરિષ્ઠ બીજેપી નેતા અને પૂર્ણ નાણામંત્રી યશવંત સિંહાના પુત્ર છે. ભાજપ મહાસચિવ જેપી નડ્ડાને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.

એમપણ માનવામાં આવે છે કે મોદીનું આ મંત્રીમંડળ વિસ્તારમાં કેટલાક વરિષ્ઠ મંત્રીઓનો ભાર ઓછો કરી શકે છે જેની પાસે એકથી વધુ બે અથવા ત્રણ મંત્રાલયોનો કાર્યભાર છે. ઉદાહરણ તરીકે અરૂણ જેટલી રક્ષા અને નાણા બંને મંત્રાલયોનો કાર્યભાર સંભાળી રહ્યાં છે. મંત્રીમંડળના આ વિસ્તારમાં ભાજપના સહયોગી દળ શિવસેના અને પોતાના દળને પણ સ્થાન આપી શકે છે.

English summary
Prime Minister Narendra Modi is likely to expand his Council of Ministers in the middle of next month, reports claimed on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X