પાંચ હત્યારાઓની ફાંસી પર રાષ્ટ્રપતિ મોહર લગાવી, બેને ઉમરકેદ

બળાત્કારમાં દોષી ગણવામાં આવેલા હરિયાણાનાઅ ધર્મપાલે પેરોલ પર છુટ્યા બાદ બળાત્કાર પીડિતાના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દિધી હતી. ધર્મપાલની દયાની અરજી પર 14 વર્ષો સુધી કોઇ ફેંસલો થઇ શક્યો ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં ફાંસીની સજા આપવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલી સાત દયા અરજીઓમાંથી પાંચને નકારી કાઢવા અને બેને ઉંમરકેદમાં બદલવાની ભલામણ કરી હતી. તેમાં ઉમરકેદનો અર્થ 14 કે 20 વર્ષની સજા નથી, પરંતુ મૃત્યું સુધી જેલમાં રહેવાનો છે. રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રાલયની ભલામણોને જેમની તેમ મંજૂર કરી લીધી હતી.
ગુરમીત સિંહ: ઉત્તર પ્રદેશના ગુરૂમીત સિંહને 17 ઓગષ્ટ 1986ના રોજ એક પરિવારના 13 લોકોની હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવી હતી.
સુરેશ અને રામજી: ઉત્તર પ્રદેશના એક અન્ય કેસમાં સુરેશ અને રામજીને પોતાના ભાઇના પરિવારના પાંચ લોકોની હત્યામાં મોતની સજા સંભળાવી હતી.
રેલૂરામ પુનિયા હત્યાકાંડ: આમાં હરિયાણાના બહુચર્ચિત રેલૂરામ પુનિયા હત્યાકાંડમાં દોષી હરિયાણાના પૂર્વ ધારાસભ્યની પુત્રી સોનિયા અને તેના પતિ સંજીવના કેસમાં સામેલ છે.
સુંદર સિંહ: ઉત્તરાખંડના સુંદર સિંહને દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં મોતની સજા સંભળાવી હતી.
ઝફર અલી: ઉત્તર પ્રદેશના ઝફર અલીને 2002માં પત્ની અને પાંચ પુત્રીઓની હત્યાના કેસમાં મોતની સજા સંભળાવી હતી.
ધર્મપાલનો કેસ: આમાં હરિયાણાના ધર્મપાલનો કેસ પણ છે. ધર્મપાલે 1993માં એક છોકરી સાથે બળાત્કાર કર્યો અને જ્યારે તે પેરોલ પર છુટ્યો તો તેને છોકરીના પરિવારના 5 લોકોની હત્યા કરી દિધી હતી. 1991માં ધર્મપાલ પર સોનીપતમાં એક છોકરી સાથે બળાત્કારનો આરોપ લાગ્યો હતો. 1993માં તેને 10 વર્ષની સજા મળી હતી. ધર્મપાલે છોકરીને કોર્ટમાં સાક્ષી આપવા બદલ ધમકી આપી હતી. તે 1993માં પાંચ દિવસ માટે પેરોલ પર છુટ્યો હતો. જ્યારે છોકરીના પરિવારજનો ઉંધ્યા હતા ત્યારે ધર્મપાલે તેમના પર હુમલો કર્યો હતો. ધર્મપાલે પીડિતાના માતા-પિતા તલેરામ અને કૃષ્ણા, બહેન નીલમ, ભાઇ પ્રવીણ અને ટીનૂ પર અંધાધૂધ લાઠીમાર ચલાવ્યો હતો.
ધર્મપાલના ભાઇ નિર્મલે તેમની હત્યા કરવામાં મદદ કરી હતી. બંનેને મોત સજા આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 1999માં ધર્મપાલની સજા યથાવત રાખી હતી પરંતુ નિર્મલની સજાને ઉમરકેદમાં ફેરવી દિધી હતી. નિર્મલ 2001મા6 પેરોલ પર છુટ્યો અને ફરાર થઇ ગયો. તેને 10 વર્ષ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
