માથામાં વાગ્યો ઘા, તો પગનું ઓપેરેશન કરી નાખ્યું
રાજધાની દિલ્હીના એક સરકારી હોસ્પિટલમાં એક લાપરવાહીનો કેસ સામે આવ્યો છે. જેમાં એક વરિષ્ઠ ડોક્ટરે ખુબ જ મોટો ગોટાળો કર્યો છે.
રાજધાની દિલ્હીના એક સરકારી હોસ્પિટલમાં એક લાપરવાહીનો કેસ સામે આવ્યો છે. જેમાં એક વરિષ્ઠ ડોક્ટરે ખુબ જ મોટો ગોટાળો કર્યો છે. અહીં હોસ્પિટલમાં એક દર્દી માથામાં ઘાનો ઉપચાર કરાવવા આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેના પગનું ઓપેરેશન કરી નાખ્યું. આ ઘટના ગુરુવારે ઘટી હતી. જયારે દિલ્હીની સિવિલ લાઇન્સમાં આવેલા સુશ્રુત ટ્રામ સેન્ટરમાં એક દર્દી માથામાં લાગેલા ઘાનો ઉપચાર કરાવવા માટે પહોંચ્યા. પરંતુ તેમની સાથે કંઈક ઉલટું જ થયું. હોસ્પિટલ ઘ્વારા દાખવવામાં આવેલી ભૂલથી બધા જ હેરાન છે.
હોસ્પિટલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક દર્દી માથામાં લાગેલી ચોટ ના ઉપચાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જયારે બીજો દર્દી પગનું હાડકું તૂટવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભૂલમાં ડોક્ટરે માથામાં લાગેલા ઘાના દર્દીને પગના તૂટેલા હાડકાનો દર્દી સમજી લીધો હતો.
ત્યારપછી ડોક્ટરે દર્દીના ડાબા પગમાં પિન નાખીને તેમાં કાણું પણ પાડી દીધું. આ ઘટના પછી ડોક્ટર અજય બહલે જણાવ્યું કે વરિષ્ઠ ડોક્ટરે દર્દીને બેહોશ કર્યા પછી ઓપેરેશન કર્યું હતું, એટલા માટે દર્દીને આ વિશે કઈ જ ખબર પડી નહીં.
જયારે દર્દીનું ઓપેરેશન ચાલી રહ્યું હતું ત્યારે ડોક્ટરની ભૂલ વિશે બીજા ડોક્ટરોને ખબર પડી. હોસ્પિટલના ડોક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ મામલાની જાંચ માટે એક સમિતિ બનાવવામાં આવી, જેમાં ડોક્ટરની ભૂલ છે તે જાણવા મળ્યું. હવે થી કોઈ પણ ઓપેરેશન દરમિયાન આ ડોક્ટર પર નજર રાખવામાં આવશે.
#Delhi: Doctors perform leg surgery on a man who was admitted with a head injury at Sushruta Trauma centre. The man whose name is Vijendra, was confused with another man named Virendra, by hospital authorities, as the latter was admitted with a fractured leg. pic.twitter.com/UB6x0vg3Oo
— ANI (@ANI) April 23, 2018