1 April Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
દેશમાં કોરોના સંક્રમણના 1,335 નવા પોઝિટિવ કેસ નોંધાયા બાદ શુક્રવારના રોજ ભારતમાં કોરોનાવાયરસની સંખ્યા વધીને 4,30,25,775 થઈ ગઈ છે.
1 April Covid Update : દેશમાં કોરોના સંક્રમણના 1,335 નવા પોઝિટિવ કેસ નોંધાયા બાદ શુક્રવારના રોજ ભારતમાં કોરોનાવાયરસની સંખ્યા વધીને 4,30,25,775 થઈ ગઈ છે. ભારતમાં પણ છેલ્લા 24 કલાકમાં 28 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃત્યુની સંખ્યા 5,21,129 પર પહોંચી ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે, સક્રિય કેસ ઘટીને 14,704 થયા છે, જેમાં કુલ સંક્રમણના 0.03 ટકાનો સમાવેશ થાય છે. રિકવરી રેટ હાલમાં 98.75 ટકા છે, મંત્રાલયે જણાવ્યું હતું કે, દૈનિક હકારાત્મકતા દર (ડેઇલી પોઝિટિવ રેટ) 0.22 ટકા હતો. Co WIN ડેશબોર્ડ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 183.73 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
વૈશ્વિક સાપ્તાહિક ટોલ 43 ટકા વધ્યો કારણ કે ભારત જૂના મૃત્યુને સમાયોજિત કરે છે : WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બુધવારના રોજ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે કોવિડ -19 થી થતા મૃત્યુમાં 43 ટકા નો વધારો થયો છે, જે દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં ભારતમાં નોંધાયેલા 'રેટ્રોસ્પેક્ટિવ એડજસ્ટમેન્ટ' સહિતના પરિબળોને કારણે છે. કોવિડ 19 સાપ્તાહિક એપિડેમિયોલોજિકલ અપડેટમાં જણાવાયું છે કે, જાન્યુઆરીના અંતથી માર્ચ 2022ની શરૂઆતની વચ્ચે, નવા કોવિડ-19 કેસોની સંખ્યામાં ઘટાડો થવાનો ટ્રેન્ડ હતો, જે કેસોમાં સતત બે અઠવાડિયામાં વધારો થયો હતો.
અપડેટમાં જણાવાયું છે કે, માર્ચ 21 થી 27, 2022 ના અઠવાડિયા દરમિયાન, નવા કેસોની સંખ્યામાં પાછલા અઠવાડિયાની તુલનામાં 14 ટકાના ઘટાડા સાથે ફરીથી ઘટાડો થયો હતો. બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન, નવા સાપ્તાહિક મૃત્યુની સંખ્યામાં 43 ટકા નો વધારો થયો છે, જે અમેરિકાના પ્રદેશ (ચિલી અને યુએસ) ના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં આવેલા કેટલાક દેશોમાં અને ભારત તરફથી અહેવાલ કરાયેલી રેટ્રોસ્પેક્ટિવ એડજસ્ટમેન્ટ દ્વારા કોવિડ 19 મૃત્યુની વ્યાખ્યામાં ફેરફારને કારણે સંભવ છે.
કોરોનાની ચોથી લહેરને રોકવાની તૈયારીઓ
અત્યાર સુધી લોકો કોરોનાની ત્રીજા લહેરથી પીડાઇ રહ્યા હતા. હવે સરકાર કોરોનાની ચોથી લહેરને રોકવાની તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ ચોથાવેવની ચર્ચા થઈ રહી છે. આવા સમયે, કેટલાક નિષ્ણાતો જૂનમાં તેના આગમનની આગાહી કરી રહ્યા છે.
સરકારના નિષ્ણાત ડૉ. એન. કે. અરોરાએ કહ્યું છે કે, કોરોનાની ચોથી લહેરનો સામનો કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમે આગામી થોડા દિવસોમાં ગટરનાપાણીના સેમ્પલિંગ પણ કરીશું. તેમણે કહ્યું કે, આ રીતે સમુદાય સ્તરે પણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં આવશે.
આવા સમયે, દેશભરમાં 12 થી 14 વર્ષના કિશોરોએ રસી લેવાનું શરૂ કર્યું છે. આ અગાઉ 15 થી 18 વર્ષના કિશોરોએ રસી લેવાનું શરૂ કર્યું હતું. જો જોવામાં આવે તો,સરકારે મોટાભાગની વસ્તીને રસીકરણના દાયરામાં લાવી છે. નાના બાળકો માટે પણ રસી હોવી જોઈએ, અત્યારે તેની ટ્રાયલ ચાલી રહી છે.
રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ એક વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 3 કોરોના દર્દી સ્વસ્થ થયા છે. આ સાથે રાજકોટમાં એક્ટિવ કેસમાંઘટાડો થયો છે.
રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં 18 ડિસ્ચાર્જ થયા છે. રાહત સમાચાર એછે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 2740 લોકોએ તેમજરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1089 લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો છે.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં ગુરૂવારના રોજ કોવિડ 19 ના 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.
આ સાથેછેલ્લા 24 કલાકમાં 57 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 3 અને વડોદરામાં 4 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,886 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 72 છે.