12 April Covid Update : જાણો દેશ, રાજ્ય અને રાજકોટમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ?
ભારતમાં મંગળવારના રોજ કુલ 796 નવા કોવિડ19 કેસ નોંધાયા છે, જેનાથી કોરોનાવાયરસની સંખ્યા 4,30,36,132 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ઓછામાં ઓછા 19 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે.
12 April Covid Update : ભારતમાં મંગળવારના રોજ કુલ 796 નવા કોવિડ19 કેસ નોંધાયા છે, જેનાથી કોરોનાવાયરસની સંખ્યા 4,30,36,132 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ઓછામાં ઓછા 19 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જે મૃત્યુની કુલ સંખ્યા 5,21,691 પર લાવે છે. જોકે, કોરોના સંક્રમણના સક્રિય કેસની સંખ્યા વધુ ઘટીને 11,058 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ કેસ લોડના 0.03 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ19 રિકવરી રેટ 98.76 ટકા રહ્યો છે.
24 કલાકના ગાળામાં સક્રિય કેસ લોડમાં 74 કેસનો ઘટાડો નોંધયો
મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક હકારાત્મકતા દર 0.25 ટકા અને સાપ્તાહિક હકારાત્મકતા દર 0.23 ટકા નોંધાયો હતો. આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,25,02,454 થઈ ગઈ છે, જ્યારે કેસમાં મૃત્યુદર 1.21 ટકા નોંધાયો હતો.
ભારતમાં કોરોનાની પરિસ્થિતિ
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 185.90 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે
- ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 10,889 છે
- સક્રિય કેસ 0.03 ટકા છે
- રિકવરી રેટ હાલમાં 98.76 ટકા છે
- છેલ્લા 24 કલાકમાં 946 રિકવરીથી કુલ રિકવરી વધી છે, જે હવે 4,25,04,329 થઇ છે
- છેલ્લા 24 કલાકમાં 796 નવા કેસ નોંધાયા છે
- દૈનિક હકારાત્મકતા દર (0.20 ટકા)
- સાપ્તાહિક હકારાત્મકતા દર (0.24 ટકા)
- અત્યાર સુધીમાં કુલ 79.45 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 4,06,251 ટેસ્ટ કરવામાં આવ્યા છે
ચીનમાં 1,251 કેસ નોંધાયા
નવા સ્થાનિક પુષ્ટિ થયેલા કેસમાંથી, 994 શાંઘાઈમાં નોંધાયા હતા, જ્યારે 171 જિલિનમાં નોંધાયા હતા. આ ઉપરાંત હેનાનમાં 21 કેસ નોંધાયા છે, ગુઆંગડોંગમાં 16,જિઆંગસુએ 14 અને ઝેજિયાંગમાં 11 કેસ નોંધાયા છે, સિન્હુઆએ પંચના અહેવાલને ટાંકીને અહેવાલ આપ્યો છે.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 35 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.
આસાથે છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, ગાંધીનગરમાં 19 કેસ, અમદાવાદમાં 9 અને વડોદરામાં 4 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાંકુલ 12,12,992 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 148 છે.
રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ નોંધાયો નથી આ સાથે શહેરી વિસ્તરમાં 1 દર્દી ડિસ્ચાર્જ થયો છે. આ સાથે જો રસીકરણની વાત કરવામાં આવે તો,રાજકોટ શહેરી વિસ્તારમાં 1814 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 599 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.