For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13 April Covid Update : જાણો દેશ, રાજ્ય અને રાજકોટમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ?

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,088 નવા કોવિડ19 કેસ નોંધાયા છે, જેનાથી કોરોનાવાયરસની સંખ્યા 4,30,38,016 થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

13 April Covid Update : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,088 નવા કોવિડ19 કેસ નોંધાયા છે, જેનાથી કોરોનાવાયરસની સંખ્યા 4,30,38,016 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં બુધવારના રોજ 26 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જે સાથે કોરોનાને કારણે થયેલા કુલ મૃત્યુની સંખ્યા 5,21,736 પર લાવે છે. જોકે, કોરોના સંક્રમણના સક્રિય કેસની સંખ્યા ઘટીને 11,058 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ કેસ લોડના 0.03 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.76 ટકા રહ્યો છે.

24 કલાકમાં સક્રિય કેસ લોડમાં 19 કેસનો ઘટાડો નોંધયો

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેઇલી પોઝિટિવ રેટ 0.25 ટકા અને વિકલી પોઝિટિવ રેટ 0.23 ટકા નોંધાયો હતો. કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,25,02,454 થઈ ગઈ છે, જ્યારે કેસમાં મૃત્યુદર 1.21 ટકા નોંધાયો હતો.

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ

  • ભારતમાં 24 કલાકમાં 1,088 કોવિડ19 કેસ નોંધાયા છે
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 186.07 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે
  • હાલમાં ભારતનો સક્રિય કેસલોડ 10,870 છે
  • સક્રિય કેસ 0.03 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.76 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 1,081 રિકવરીથી કુલ રિકવરી વધી છે, જે કારણે કુલ 4,25,05,410 છે
  • છેલ્લા 24 કલાકમાં 1,088 નવા કેસ નોંધાયા છે
  • દૈનિક હકારાત્મકતા દર (ડેઇલી પોઝિટિવિટી રેટ) - 0.25 ટકા
  • સાપ્તાહિક હકારાત્મકતા દર (વિકલી પોઝિટિવિટી રેટ) - 0.24 ટકા
  • અત્યાર સુધીમાં કુલ 79.49 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે
  • છેલ્લા 24 કલાકમાં 4,29,323 ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 26 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આસાથે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, ગાંધીનગરમાં 8 કેસ, અમદાવાદમાં 6 અને વડોદરામાં 8 કેસ તેમજ સુરત અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલમૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,012 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 152 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ નોંધાયો નથી આ સાથે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. આ સાથે જો રસીકરણની વાતકરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 2356 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 808 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

English summary
13 April Covid Update : Know the Corona transition situation in the country, state and Rajkot?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X