2 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં મંગળવારના રોજ 8 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 3 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
2 march Covid Update : રાજકોટ શહેરમાં મંગળવારના રોજ 8 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 3 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં એકપણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
|
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં મંગળવારના રોજ કોવિડ 19 ના 162 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 2 દર્દીના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 333 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 65, વડોદરામાં 23, રાજકોટમાં 8, સુરતમાં 11, ગાંધીનગરમાં 3 અનેબનાસકાંઠામાં 12 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,932 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,10,211 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 1647 છે.
|
ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે 2 માર્ચ સવારે 8 કલાક સુધીમાં 7,554 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 14,123 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આસાથે 223 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
- એક્ટિવ કેસ : 85,680 (0.20 ટકા)
- કુલ રિકવરી : 4,23,38,673 (98.60 ટકા)
- મૃત્યુઆંક : 5,14,246 (1.20 ટકા)
- કુલ રસીકરણ : 1,77,79,92,977
|
અત્યાર સુધીમાં 4,23,38,673 કોવિડ રિકવરી
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,23,38,673 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 177.79 કરોડને પારપહોંચી ગયો છે.
બુધવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 8.55 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોનીવાત કરીએ તો આ સંખ્યા 223 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,14,246 છે.












Click it and Unblock the Notifications
