27 february Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં રવિવારના રોજ 11 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 12 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
27 february Covid Update : રાજકોટ શહેરમાં રવિવારના રોજ 11 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 12 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં 8 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં રવિવારના રોજ કોવિડ 19ના 230 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 2 દર્દીના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 491 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 102, વડોદરામાં 38, રાજકોટમાં 17, સુરતમાં 6, ગાંધીનગરમાં 7 અનેબનાસકાંઠામાં 8 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,926 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,09,148 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 2275 છે.
ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10273 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 20439 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 243 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુપામ્યા છે.
- એક્ટિવ કેસ : 1,11,472 (0.26%)
- ડેઇલી પોઝિટિવ રેટ : 1.00%
- કુલ રિકવરી : 4,22,90,921
- મૃત્યુઆંક : 5,13,724
- કુલ રસીકરણ: 1,77,44,08,129
અત્યાર સુધીમાં 4,22,90,921 કોવિડ રિકવરી
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,22,90,921 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 177.44 કરોડને પારપહોંચી ગયો છે.
રવિવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 24.05 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોનીવાત કરીએ તો આ સંખ્યા 243 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,12,924 છે.