28 April Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ
ભારતમાં ગુરૂવારના રોજ સવારે 8 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,303 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના કારણે કોરોના સંક્રમણની કુલ સંખ્યા 4,30,68,799 થઈ ગઈ છે.
28 April Covid Update : ભારતમાં ગુરૂવારના રોજ સવારે 8 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,303 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના કારણે કોરોના સંક્રમણની કુલ સંખ્યા 4,30,68,799 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 24 કલાકના સમયગાળામાં 701 નવા સક્રિય કેસ સાથે કુલ સક્રિય કેસ વધીને 16,980 થઈ ગયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 39 મૃત્યુ નોંધાયા છે, જે કોવિડ સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા 5,23,693 પર લઇ જાય છે. ઉલ્લેખીય છે કે, સક્રિય કેસોમાં કુલ કોરોના સંક્રમણના 0.04 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે.
28 એપ્રીલની ભારત કોરોના અપડેટ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,303 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના કારણે કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4,30,65,496 થઈ ગઈ છે.
આસાથે આજે દેશમાં 39 મૃત્યુ નોંધાયા છે, જેના કારણે કોવિડ સંબંધિત કુલ મૃત્યુઆંક વધીને 5,23,693 પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, કેરળમાં 26 મૃત્યુનોબેકલોગ પણ ઉમેરાયો છે.
28 એપ્રીલની ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી. આસાથે છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 6, વડોદરામાં 7 તેમજ આણંદ અને ગાંધીનગરમાં 1-1 કેસ નોંધાયો છે.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે. આ સાથેરાજ્યમાં કુલ 12,13,243 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 105 થઇ છે.
28 એપ્રીલની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. આ સાથે શહેરી વિસ્તારમાં એક દર્દી કોરોનામુક્ત થયો છે. આ સાથે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંકોઇ રિકવરી નોંધાઇ નથી.
આ ઉપરાંત જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 4178 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2630 વ્યક્તિએ કોરોનાવેક્સિનનો ડોઝ લીધો છે.