3 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ
ભારતમાં મંગળવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,568 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોનાવાયરસના કુલ પોઝિટિવ કેસ સંખ્યા 4,30,84,913 થઈ ગઈ છે.
3 may Covid Update : ભારતમાં મંગળવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,568 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોનાવાયરસના કુલ પોઝિટિવ કેસ સંખ્યા 4,30,84,913 થઈ ગઈ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ સંબંધિત 20 નવા મૃત્યુ પણ નોંધાયા છે, જેના કારણે કુલ મૃત્યુની સંખ્યા 523,889 પર પહોંચી છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક હકારાત્મકતા દર (ડેઇલી પોઝિટિવિટી રેટ) 1.07 ટકા હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર (વીકલી પોઝિટિવિટી રેટ) 0.70 ટકા હતો. 2,900 થી વધુ લોકો પણ કોરોનાવાયરસમાંથી સ્વસ્થ થયા, દેશમાં કોવિડ પુનઃપ્રાપ્તિની કુલ સંખ્યા 4,25,41,887 થઈ ગઈ હતી.
3 મે ની ભારત કોરોના અપડેટ
- ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,568 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
- છેલ્લા 24 કલાકમાં કોવિડ સંબંધિત મૃત્યુની સંખ્યા : 20
- ભારતમાં સક્રિય કેસલોડ હાલમાં 19,137 છે.
- દેશવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં 189.41 કરોડ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે
- સક્રિય કોવિડ કેસ 0.04 ટકા છે
- રિકવરી રેટ હાલમાં 98.74 ટકા છે
- છેલ્લા 24 કલાકમાં 2,911 રિકવરીથી કુલ રિકવરી વધીને 4,25,41,887 થઈ ગઈ છે.
- ડેઇલી પોઝિટિવિટી રેટ - 0.61 ટકા
- વીકલી પોઝિટિવિટી રેટ - 0.71 ટકા
- અત્યાર સુધીમાં કુલ 83.86 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે.
- છેલ્લા 24 કલાકમાં 4,19,552 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
3 મે ની ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણદર્દીનું મોત થયું નથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં 27 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયોછે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 5, વડોદરામાં 3 કેસ, રાજકોટમાં 4,વલસાડમાં 2 તેમજ ગાંધીનગર અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો છે.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ12,13,320 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 111 થઇ છે.
3 મે ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટ શહેરી વિસ્તારમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવઆવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જોરસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1985 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1032 વ્યક્તિએ કોરોના વેક્સિનનોડોઝ લીધો છે.