31 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ
ભારતમાં સોમવારના રોજ 2338 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જેણે તેની સંક્રમણની સંખ્યા 4,31,53,000ને પાર લઈ ગઇ છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 17,883 થઈ છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે.
31 may Covid Update : ભારતમાં મંગળવારના રોજ 2338 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જેણે તેની સંક્રમણની સંખ્યા 4,31,53,000ને પાર લઈ ગઇ છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 17,883 થઈ છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે. 19 જાનહાનિ સાથે મૃત્યુઆંક વધીને 5,24,630 પર પહોંચી ગયો છે.
આ સાથે ડેઇલી પોઝિટિવિટી રેટ 0.64 છે. આ સાથે કોરોના વેક્સિનના કુલ 19,34,51,19,805 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 13,33,064 ડોઝ આપવામાં આવ્યા છે.
31 may ની ભારત કોવિડ અપડેટ
સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે, હાલમાં દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 17,883 છે. મંત્રાલયે જણાવ્યું છે કે, સક્રિય કેસમાં કુલસંક્રમણના 0.04 ટકાનો સમાવેશ થાય છે. આવા સમયે, કોરોના રિકવરી રેટ 98.74 ટકા છે અને કુલ રિકવરી ડેટા 4,26,15,574 છે. સુધીપહોંચી ગયું છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 30 મે સુધી કોરોના માટે 85,04,41,292 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.તેમાંથી 3,63,883 નમૂનાઓનું સોમવાર સુધીમાં (30 મે) પરીક્ષણ કરવામાં આવ્યું છે.
દેશમાં રસીકરણનો કુલ આંકડો 193.45 કરોડથી વધુ છે. વર્તમાન આંકડો 1,93,45,19,805 છે. આવા સમયે, છેલ્લા 24 કલાકમાં 13.33લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
31 may ની ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 34 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓ કોરોના મુક્તથયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવેતો, અમદાવાદમાં 25, વડોદરામાં 5 કેસ નોંધાયા છે. આ સાથે ગાંધીનગર, રાજકોટ, સુરત અને વલસાડમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,997 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા216 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે.
31 may ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે શહેરી વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટપોઝિટિવ આવ્યો નથી.
આ સાથે શહેરી વિસ્તારમાં કે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાંઆવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 644 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 697 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.