6 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ
ભારતમાં શુક્રવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,545 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોનાવાયરસની સંખ્યા 4,30,94,938 થઈ ગઈ છે.
6 may Covid Update : ભારતમાં શુક્રવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,545 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોનાવાયરસની સંખ્યા 4,30,94,938 થઈ ગઈ છે. આ સાથે દેશમાં કોવિડ સંબંધિત 27 મૃત્યુ પણ નોંધાયા છે, જેના કારણે કોરોના સંક્રમણને કારણે જીવ ગૂમાવેલા લોકોની કુલ સંખ્યા 5,24,002 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક હકારાત્મકતા દર 1.07 ટકા હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 0.70 ટકા હતો. આ સાથે શુક્રવારના રોજ ગુરૂવારની સરખામણીમાં 8 ટકા વધારે કેસ નોંધાયા છે. આ સાથે 3,500 થી વધુ લોકો પણ કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયા, દેશમાં કોવિડ પુનઃપ્રાપ્તિની કુલ સંખ્યા 4,25,51,248 થઈ ગઈ હતી.
કોવિડએ 2020-21માં વિશ્વભરમાં લગભગ 15 મિલિયન લોકોના મોત : WHO
કોરોના મહામારીએ 2020 અને 2021 માં વિશ્વભરમાં લગભગ 15 મિલિયન લોકો માર્યા ગયા, WHO એ ગુરુવારના રોજ અનુમાનલગાવ્યું હતું કે, આ રોગને સત્તાવાર રીતે આભારી મૃત્યુની સંખ્યા લગભગ ત્રણ ગણી છે.
6 મે ની ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં શુક્રવારના રોજ કોરોના સંક્રમણના 25 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણદર્દીનું મોત થયું નથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયોછે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 12 અને વડોદરામાં 9 કેસ નોંધાયા છે. આસાથે ગાંધીનગરમાં 3 અને આણંદમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ12,13,365 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 121 થઇ છે.
6 મે ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટ શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1637 અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 865 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.