મોટી જંગલી આગ કાબૂમાં આવી, મિતીયાળા અભયારણ્યને કોઈ નુકસાન નહીં
શનિવારના રોજ એક અધિરારીએ જણાવ્યું હતું કે, શુક્રવારની સાંજે લગભગ 250 એકરના ઘાસના મેદાનોમાં આગ ફેલાઈ હતી, પરંતુ સિંહો અને અન્ય વન્યજીવોને કોઈ નુકસાન પહોંચાડે તે પહેલાં આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
રાજકોટ : એશિયાટીક સિંહો માટે સંરક્ષિત વિસ્તાર અમરેલી જીલ્લાના મિતીયાળા વન્યજીવ અભયારણ્યને લપેટમાં લેવાનું જોખમ ધરાવતા વનકર્મીઓ, ફાયરમેન, ટ્રેકર્સ, વન્યજીવ કાર્યકરો અને પડોશી વિસ્તારોના સ્થાનિકો સહિત 300 થી વધુ અગ્નિશામકોએ સફળતાપૂર્વક જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
શનિવારના રોજ એક અધિરારીએ જણાવ્યું હતું કે, શુક્રવારની સાંજે લગભગ 250 એકરના ઘાસના મેદાનોમાં આગ ફેલાઈ હતી, પરંતુ સિંહો અને અન્ય વન્યજીવોને કોઈ નુકસાન પહોંચાડે તે પહેલાં આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
TOI સાથે વાત કરતાં જૂનાગઢના મુખ્ય સંરક્ષક કે રમેશ કે જેઓ વન્યજીવન વર્તુળનો વધારાનો હવાલો પણ સંભાળી રહ્યા છે, તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી આગમાં કોઈ પ્રાણી જાનહાનિ નોંધાઈ નથી. આ વિસ્તારને આગામી ત્રણ દિવસ સુધી સ્કેન કરવામાં આવશે કે, ત્યાં કોઈ બીમાર કે ઈજાગ્રસ્ત પ્રાણીઓ છે કે જેને તાત્કાલિક સારવારની જરૂર છે.
અમરેલી જીલ્લાના ખાંભા રેવન્યુ વિસ્તારના લાપાલા ટેકરી તરીકે ઓળખાતા નાનુડી ગામની હદમાં આવેલ સરકારી પડતર જમીનમાં આગ ફાટી નીકળી હતી અને આગને કાબૂમાં લેવામાં ફાયર ફાઈટર્સને 18 કલાકનો સમય લાગ્યો હતો.
રમેશે વધુમાં જણાવ્યું હતું કે, ઊંચા ઘાસના કેટલાક પેચ હજૂ પણ સળગી રહ્યા છે અને તેને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. ગીર (પૂર્વ), શેત્રુંજય અને અમરેલી સામાજિક વનીકરણની ત્રણ વન રેન્જના તમામ રેન્કના વન કર્મચારીઓ, જિલ્લા વહીવટીતંત્ર ઉપરાંત પોલીસ, 40 ફાયરમેન અને 10 ફાયર ટેન્ડરોએ જંગલની આગને કાબૂમાં લેવામાં મદદ કરી હતી.
અમરેલીના કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, નજીકમાં આવેલી મિતિયાળા ફોરેસ્ટ રેન્જ આગથી સુરક્ષિત છે. અમે આગને બે વિસ્તારોને વિભાજિત કરતી નદી સુધી પહોંચવા દીધી નથી. આ વિસ્તારમાં આગની ઘટનાઓ અસામાન્ય ન હતી.
કલેકટરે જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં સિંહો આગથી પ્રભાવિત થાય તે પહેલાં જંગલમાં ધસી જાય છે. હજૂ સુધી કોઈ પ્રાણીના મૃતદેહ મળ્યા નથી અને આગામી ત્રણ દિવસ સુધી આ વિસ્તારને સ્કેન કરવામાં આવશે.