Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઠંડીનું વાતાવરણ અને કમોસમી વરસાદથી કેસર કેરીનું ઉત્પાદન ઘટશે

કેસર કેરીના રસિકોએ તેમના માટે ખિસ્સા પર ભારે પડશે. કારણ કે, ખેડૂતો ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યા છે, જેના પરિણામે જથ્થાબંધ અને છૂટક ભાવમાં વધારો થઈ શકે છે.

રાજકોટ : કેસર કેરીના રસિકોએ તેમના માટે ખિસ્સા પર ભારે પડશે. કારણ કે, ખેડૂતો ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યા છે, જેના પરિણામે જથ્થાબંધ અને છૂટક ભાવમાં વધારો થઈ શકે છે. ખેડૂતોએ દાવો કર્યો હતો કે, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વેપારીઓ તેમને તેમના બગીચામાંથી કેસર કેરીના વેચાણ માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે બમણા પૈસાની ઓફર કરતા હતા.

kesar mango

ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દર વર્ષે આશરે 2 લાખ મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. જો કે, ઓછા ઉત્પાદનના મુખ્ય કારણોમાં મે 2021 માં ચક્રવાત તૌકતે દરમિયાન કેરીના બગીચાઓને મોટા પાયે નુકસાનનો સમાવેશ થાય છે. રાજ્યના દરિયાકાંઠે આવેલા ચક્રવાતે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને ઉના તાલુકાઓમાં વિનાશ સર્જ્યો હતો, જેને કેસર કેરીની ખેતીનું હબ ગણવામાં આવે છે.

કેરીના ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરતા ડિસેમ્બર અને જાન્યુઆરીની શરૂઆતમાં અમરેલી અને ગીર સોમનાથમાં પડેલા કમોસમી વરસાદ અને તાપમાનમાં ઘટાડો થવાને કારણે કેરીના ઝાડ પર ફૂલ આવવામાં વિલંબ થયો છે. નિષ્ણાતોના મતે છેલ્લા પખવાડિયામાં નીચા તાપમાને પણ કેરીના પાક પર પ્રતિકૂળ અસર કરી છે.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (JAU) ના ફળ વિજ્ઞાન વિભાગના વડા ડી. કે. વરુએ જણાવ્યું હતું કે, કેરીના પાકને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આવતા ફૂલોના તબક્કા દરમિયાન રાત્રિનું તાપમાન 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ અને દિવસનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની જરૂર પડે છે. જો કે, આ વર્ષે રાત્રિ દરમિયાન તાપમાનનો પારો 8 ડિગ્રી સુધી ગગડી જતાં ફૂલોને અસર થઈ છે. આ જ સમયગાળા દરમિયાન કમોસમી વરસાદે પણ આંબાના મોર પર માઠી અસર કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, ફૂલો દરમિયાન નીચું તાપમાન પણ કેરીના પાકમાં રોગનું જોખમ વધારે છે. તેથી, ખેડૂતોને કેરીના ઝાડને બચાવવા માટે વધુ જંતુનાશકોની જરૂર પડશે. ખેડૂતોના મતે, ડિસેમ્બરના અંત સુધીમાં 80 ટકા મોર આવે છે અને બાકીનું જાન્યુઆરીના મધ્યમાં અથવા ઉત્તરાયણના તહેવાર સુધીમાં પૂર્ણ થાય છે. જો કે, હાલમાં ઘણા બગીચાઓમાં 50 ટકા ફૂલ આવ્યા છે. આ સિઝનમાં નબળા પાકની અપેક્ષાએ વેપારીઓ કેરી માટે બમણા ભાવ ઓફર કરી રહ્યા છે.

જૂનાગઢના તાલાલા પાસેના જામવાળા વિસ્તારમાં કેસર કેરીના ખેડૂતે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મને મારા 120 ઝાડમાંથી કેરી માટે રૂપિયા 2 લાખ મળતા હતા, પરંતુ આ વર્ષે મને રૂપિયા 4 લાખની ઓફર કરવામાં આવી રહી છે. જો હું વાટાઘાટો કરું તો મને વધુ સારો દર મળી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X