સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર : ભાવનગરમાં 5 અને રાજકોટમાં ત્રણના મોત
રાજકોટ શહેરમાં શનિવારના રોજ કોવિડ 19 ને કારણે વધુ ત્રણ મૃત્યુ નોંધાયા હતા, તેમ છતાં તાજા સંક્રમણની સંખ્યામાં ઘટાડો યથાવત રહ્યો હતો.
રાજકોટ શહેરમાં શનિવારના રોજ કોવિડ 19 ને કારણે વધુ ત્રણ મૃત્યુ નોંધાયા હતા, તેમ છતાં તાજા સંક્રમણની સંખ્યામાં ઘટાડો યથાવત રહ્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) મુજબ, શહેરમાં શનિવારના રોજ 716 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતું, જ્યારે શુક્રવારના રોજ 958 અને ગુરુવારના રોજ 1,008 કેસ નોંધાયા હતા. જામનગર જિલ્લામાં કુલ 302 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

શનિવારના રોજ 230 નવા કેસ નોંધાયા
આ સાથે જો ભાવનગર જિલ્લામાં વાત કરવામાં આવે તો, કોવિડથી પાંચ લોકોના સારવાર દરમિયાન મોત થયા છે, જ્યારે શનિવારના રોજ 230 નવા કેસ નોંધાયા છે.
ડોકટરોના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા લોકો કોમોર્બિડિટીઝથી પીડિત હતા અને તેમાંથી કેટલાકને છેલ્લા તબક્કામાં હોસ્પિટલને જાણ કરવામાં આવી હતી.
ડોકટરોએકોમોર્બિડિટીઝ ધરાવતા લોકોને કોવિડ 19 જેવા લક્ષણોના કિસ્સામાં તાત્કાલિક ડોકટરોની સલાહ લેવાની સલાહ આપી હતી.

ગુજરાતમાં 11,794 નવા પોઝિટિવ કેસ નોંધાયા
શનિવારની સાંજે 5 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં, ગુજરાતમાં 11,794 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે કુલ 11.44 લાખ પર પહોંચી ગયા હતા.
અમદાવાદ શહેરમાંસાત, ભાવનગર શહેરમાં ચાર, વડોદરા અને રાજકોટ શહેરમાં ત્રણ-ત્રણ, સુરત શહેર, આણંદ, વલસાડમાં બે-બે અને ખેડા, જામનગર, અમદાવાદ, ભાવનગર અનેબોટાદ જીલ્લામાં એક-એક મૃત્યુ સાથે રાજ્યનો મૃત્યુઆંક વધીને 10,408 થયો છે.

કુલ મળીને 5.11 કરોડ લોકોએ કોવિડ રસીના પ્રથમ ડોઝ લીધો
આ જ સમયગાળા દરમિયાન ગુજરાતે પ્રથમ ડોઝ માટે 73,808 અને બીજા ડોઝ માટે 73,044 વ્યક્તિઓને રસી આપી હતી.
કુલ મળીને 5.11 કરોડ લોકોને કોવિડરસીના પ્રથમ અને 4.51 કરોડ બીજા ડોઝ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
