Covid Update of 7 march : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં રવિવારના રોજ 2 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 1 દર્દીઓ સ્વસ્થ થયો હતો. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
Covid Update of 7 march : રાજકોટ શહેરમાં રવિવારના રોજ 2 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 1 દર્દીઓ સ્વસ્થ થયો હતો. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 6 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં રવિવારના રોજ કોવિડ 19 ના 71 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે એક દર્દીનું મોત થયું છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 140 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 31, વડોદરામાં 16, રાજકોટમાં 3, સુરતમાં 01, ગાંધીનગરમાં 3 અનેબનાસકાંઠામાં 3 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,935 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,11,413 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 914 છે.
ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના 5,476 નવા કેસ નોંધાયા છેઅને છેલ્લા 24 કલાકમાં 158 લોકોના મોત થયા છે, જ્યારે 9,754 લોકો સાજા થયા છે.
હોસ્પિટલ પણ પરત ફર્યા છે. દેશમાં હાલમાં કોરોનાના કુલ 4,29,62,953 કેસ છે,જ્યારે કોરોનાના સક્રિય કેસ 59,442 છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 4,23,88,475 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે મૃત્યુઆંક 5,15,036 પર પહોંચ્યો છે. દેશમાંઅત્યાર સુધીમાં 1,78,83,79,249 લોકોને રસી આપવામાં આવી છે.
ચોથી લહેરનો ખતરો
દેશમાં કોરોનાના ત્રણ ભયંકર લહેર જોવા મળ્યા છે. હવે લોકો કોરોનાની ચોથી લહેરથી ડરી રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન રિસર્ચ ઓફનોન-કમ્યુનિકેબલ ડિસીઝના ડિરેક્ટર અને કોમ્યુનિટી મેડિસિન નિષ્ણાત ડો. અરુણ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તમામ દેશોએ કોરોનાના નવા પ્રકારો જોયાછે, પરંતુ કોરોનાની ચોથી લહેરની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે. અન્ય દેશોમાં 80 ટકા વસ્તીને પણ રસી આપવામાં આવી છે.
આવી સ્થિતિમાં એવી અપેક્ષારાખવામાં આવે છે કે, કોરોનાની ચોથી લહેર વધુ ખતરનાક નહીં હોય પરંતુ આપણે કોરાના માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ અને બેદરકાર ન રહેવું જોઈએ.