ગુજરાત: રાજકોટમાં 4.3 તિવ્રતાના આવ્યા ભૂકંપના ઝટકા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રવિવારે બપોરે ગુજરાતના રાજકોટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રવિવારે બપોરે ગુજરાતના રાજકોટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, આંચકો બપોરે 3:21 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ ગુજરાતના રાજકોટથી લગભગ 270 કિલોમીટર ઉત્તર ઉત્તર પશ્ચિમ (NNW)માં હતું. આ ભૂકંપના ઝટકાથી કોઇ નુકશાન જાણવા મળ્યુ નથી.

ગયા અઠવાડિયે, ગુજરાતના અમરેલી જિલ્લામાં 3.4 અને 3.1 ની તીવ્રતાના બે નાના આંચકા નોંધાયા હતા, જેનાથી છેલ્લા બે દિવસમાં આ વિસ્તારમાં આવા ભૂકંપની સંખ્યા ત્રણ થઈ ગઈ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના એક અધિકારીએ જણાવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા.
Earthquake of Magnitude 4.3 occurred on Feb 26 2023, 15:21:12 IST, Lat: 24.61 & Long: 69.96, Depth: 10 Km ,Location: 270km NNW of Rajkot, Gujarat: National Center for Seismology pic.twitter.com/GUNgkJFVG7
— ANI (@ANI) February 26, 2023
અમરેલી પંથકમાં 17 ડિસેમ્બરે ભૂકંપના ઉપરાઉપરી ચાર હળવા આંચકા નોંધાયાનું સિસ્મોલોજીકલ સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું. તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 32થી 44 કિ.મી. દૂર દક્ષિણ અને ઉત્તર બન્ને દિશામાં નોંધાયું હતું. અમરેલીથી અહેવાલ પ્રમાણે સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.0 અને 2.2 નોંધાઈ છે અને તમામ આંચકા ધરતીની ઉપરી સપાટી પર ઉદભવ્યા હતા. પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.












Click it and Unblock the Notifications
