સૌરાષ્ટ્રમાં આનંદો!! 2 વર્ષ બાદ જન્માષ્ટમીનો મેળો યોજાશે
સૌરાષ્ટ્રના લોકોને બે વર્ષના લાંબા ગાળા બાદ રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો માણવાની તક મળશે. કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને 2020 અને 2021 માં મેળો રદ્દ કરવામાં આવ્યો હતો.
રાજકોટ : સૌરાષ્ટ્રના લોકોને બે વર્ષના લાંબા ગાળા બાદ રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો માણવાની તક મળશે. કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને 2020 અને 2021 માં મેળો રદ્દ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર આ વર્ષે મેળાના આયોજન અંગે સકારાત્મક છે અને તેની તૈયારી માટે બુધવારના રોજ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.
લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ.જેમાં અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરાજી સમિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક પાર્કિગ નિયમન સમિતિ, ફાયર સેફટી અને સાંસ્કૃતિક અને ઉદ્ઘાટન કાર્યક્રમ સમિતિ ની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી અને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું pic.twitter.com/SOCnvk4ao1
— Collector Rajkot (@CollectorRjt) June 8, 2022
રાજકોટ કલેક્ટર લોકમેળા સમિતિના વડા છે. રેસકોર્સ મેદાનમાં 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવશે.
વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી
સંકલન સમિતિ, અમલ સમિતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ જેવી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેક્ટર કે. બી. ઠક્કરે તમામ સમિતિઓના વડાઓને મેળા માટે કામ શરૂ કરવા સૂચના આપી હતી.
આ વાતોનું રાખવામાં આવશે ધ્યાન
પોલીસ અધિકારીઓને મેળામાં કાયદો અને વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ અને ઈમરજન્સી હેલ્પલાઈન નંબરની કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાયર સેફ્ટી, આરોગ્ય સુવિધાઓ અને ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણીનું ધ્યાન રાખવા જણાવાયું હતું.
મેળામાં 10 લાખથી વધુ લોકો રાજકોટ આવે છે
આ મેળો સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ રાહ જોવાતી ઘટના છે અને જેઓ સૌરાષ્ટ્રના વતની છે, પરંતુ અન્યત્ર સ્થાયી થયા છે, તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાય છે. એક અંદાજ મુજબ, આ મેળા દરમિયાન લગભગ 10 લાખ લોકો રાજકોટ આવે છે. 150 થી વધુ સ્ટોર્સ, રાઇડ્સ અને અન્ય પ્રવૃત્તિઓ મૂકવામાં આવી છે અને મેળો પાંચેય દિવસ 24 કલાક ચાલે છે.