કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, સતત બીજા દિવસે આવ્યું રાજીનામું
Lok sabha Election 2024: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં ફરી જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, અશોક ડાંગરે 2000 થી 2003 સુધી કોંગ્રેસના શાસન દરમિયાન રાજકોટના મેયર તરીકે સેવા આપી હતી.
નોંધનીય બાબત છે કે, અશોક ડાંગર અગાઉ 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા, અને બાદમાં 2018માં તેઓ ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં ફરી જોડાયા હતા.
અશોક ડાંગરે આજે ચોથી વખત પક્ષ બદલીને ભાજપમાં જોડાયા છે. તેમની સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભરત મકવાણા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસ પાર્ટી છોડવા અંગે અશોક ડાંગરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિવાદાસ્પદ નિવેદનો કરનારાઓને હાંકી કાઢતી નથી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ વિશે વાત કરતાં અશોક ડાંગરે જણાવ્યું હતું કે, સાંજે સાત વાગ્યા પછી ઈન્દ્રનીલભાઈ શું બોલે તેનાથી કોઈ ફરક પડતો નથી.
કોંગ્રેસમાં ચોક્કસપણે જૂથવાદ છે, અને કોંગ્રેસ હવે રોજેરોજ તૂટવાની અણી પર છે. હું રાજકોટમાંથી કોંગ્રેસનો સફાયો કરીશ. હું સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન કરી શકતો નથી, તેથી હું કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યો છું.












Click it and Unblock the Notifications
