રાજકોટ: કોરોના સેન્ટરની બેદરકારીનો વધુ એક મામલો આવ્યો સામે
દેશભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં આના મામલા સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 71 હજારને પાર થઈ ગયો છે. વ
દેશભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં આના મામલા સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 71 હજારને પાર થઈ ગયો છે. વિગત અનુસાર 24 કલાકમાં અહીં 1078 નવા દર્દી સામે આવ્યા છે. આ સાથે જ કુલ કોરોના પૉઝિટીવ કેસ વધીને 71,064 થઈ ગયા છે. જેમાંથી 26 હજારથી વધુ કેસ એકલા અમદાવાદમાં જ નોંધવામાં આવ્યા છે. વળી, સુરત મહિનાથી કોરોના વાયરસનુ સૌથી મોટુ હૉટસ્પૉટ બનેલુ છે. અહીં રોજ અમદાવાદથી વધુ નવા કોરોના દર્દી સામે આવી રહ્યા છે. આ શહેરમાં હવે સંક્રમિતોનો આંકડો પણ 15,810 થઈ ગયો છે.
આ સાથે રાજકોટમાં કોરોના સેન્ટરની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. વિદ્યાનગર રોડ પર આવેલ રાજકોટ ઉદય હોસ્પિટલે ગંભીર બેદરકારી દાખવી છે. અહી કોરોના દર્દીઓની સારવાર બાદ મેડિકલ વેસ્ટ બહાર જ હોવાની ફરિયાદ થઇ છે. આ વિસ્તારના રહીશોએ આ કચરા અંગે ફરીયાદ પણ કરી છે. લોકોએ પ્રશ્ન કર્યો હતો એ આ બાયો વેસ્ટના કારણ કોરોના ફેલાયો તો તેના જવાબદાર કોણ હશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના સંક્રમિત 71 હજારને પાર, 54,138 લોકો થયા રિકવર