Rajkot News: રાજકોટમાં પ્રસાદ ખાધા બાદ 400 લોકો બીમાર પડ્યા

Rajkot News, Food poisoning: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોખલાણામાં માતાજીનો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંડવામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. જે બાદ ઘણા લોકો બીમાર પડ્યા હતા, અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

સમગ્ર ગામ વતી ગોખલાણામાં મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 1000 થી વધુ લોકો આવ્યા હતા.

આવા સમયે, પ્રસાદ ખાધા પછી બાળકો સહિત 400 થી વધુ લોકો બીમાર પડ્યા હતા. આ તમામ દર્દીઓને ઉલ્ટી થવા લાગી. આમાં મોટાભાગે 5 થી 12 વર્ષના બાળકો પ્રભાવિત થયા હતા.

Rajkot News Food poisoning

મળતી માહિતી મુજબ ફૂડ પોઈઝનીંગના કારણે મોટી સંખ્યામાં લોકોને જસદણની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આરોગ્ય વિભાગે પણ ગોખલાના પહોંચીને પ્રસાદના સેમ્પલ લીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X