Saurashtra Covid Update : જાણો સૌરાષ્ટ્ર, રાજ્ય અને દેશમાં શું છે કોરોનાની પરિસ્થિતિ
સૌરાષ્ટ્રમાં કોવિડ 19ના સંક્રમણને કારણે મંગળવારના રોજ સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક-એક મૃત્યુ નોંધાયા છે.
Saurashtra Covid Update : સૌરાષ્ટ્રમાં કોવિડ 19ના સંક્રમણને કારણે મંગળવારના રોજ સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક-એક મૃત્યુ નોંધાયા છે. રાજકોટ શહેરમાં મંગળવારના રોજ 20 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 116 લોકો કોરોનામુક્ત થયા હતા.
રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસ 290 છે. રાજકોટ ગ્રામ્યમાં, 26 લોકોએ કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંગળવારના રોજ જામનગર જિલ્લામાં 13 અને ભાવનગર જિલ્લામાં 12 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું.
રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,838 થયો
જો કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 376, સુરતમાં 73, વડોદરામાં 211 અને રાજકોટમાં 46 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,838 થયો છે. તો રાજ્યમાં કુલ 11,95,295 દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં 11,195 એક્ટિવ કેસ છે.
#GujaratCoronaUpdates #Gujarat માં આજે #COVID19 ના 998 નવા કેસ, 16 દર્દીના મૃત્યુ તો 2254 દર્દીઓ સાજા થયા #Ahmedabad માં આજે 376, #Surat માં 73, #Vadodara માં 211, #Rajkot માં 46 નવા કેસ નોંધાયા
— PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) February 15, 2022
કુલ મૃત્યુઆંક 10,838; રાજ્યમાં કુલ 11,95,295 દર્દી સાજા થયા; સક્રિય કેસ-11195 pic.twitter.com/ZieBSDLM23
દેશમાં કુલ 12,51,677 કોરોના ટેસ્ટ કરાયા
કોરોનાની ઝડપ દિવસેને દિવસે ઘટી રહી છે, પરંતુ આજે ફરી એકવાર કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. આ સાથે મૃત્યુઆંક પણ ભયજનક છે. છેલ્લા 24 કલાકમાં 30,615 નવા કોરોના કેસ નોંધાયા છે. મંગળવારના આંકડાઓની તુલનામાં, કોરોના વાયરસના કેસની સંખ્યામાં 11 ટકાનો વધારો થયો છે.
આ સાથે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,27,23,558 થઈ ગઈ છે. બુધવારની સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ માહિતી છે.