For Quick Alerts
For Daily Alerts
શ્રાવણના તહેવારોને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર ખાતે સુરક્ષા વધારાઇ
પવિત્ર શ્રાવણ માસને લઈને ગીર સોમનાથ પોલીસ દ્વારા સોમનાથ મંદિરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પવિત્ર માસ દરમિયાન હજારો ભક્તો સોમનાથ મંદિરના દર્શને આવે તેવી અપેક્ષા છે.
રાજકોટ : શુક્રવારથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસને લઈને ગીર સોમનાથ પોલીસ દ્વારા સોમનાથ મંદિરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પવિત્ર માસ દરમિયાન હજારો ભક્તો સોમનાથ મંદિરના દર્શને આવે તેવી અપેક્ષા છે. મંદિરની બહાર વધારાનીલોખંડની રેલિંગ મૂકવામાં આવી છે અને મંદિરમાં પ્રવેશતા લોકો પર નજર રાખવા માટે મોબાઇલ વોચટાવર ગોઠવવામાં આવ્યો છે.
ગીર સોમનાથ પોલીસ દ્વારા મંદિરની નજીક એક હેલ્પ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી લોકો ગુમ થવા, ચોરી કે અન્ય કોઈ ઘટનાની જાણ કરી શકે.
પોલીસના જણાવ્યા અનુસાર, નાયબ પોલીસ અધિક્ષક, નિરીક્ષક, સબ-ઇન્સ્પેક્ટર અને રાજ્ય અનામત પોલીસ (SRP) ની એક ટીમ સહિત 314 કર્મચારીઓ સમગ્ર શ્રાવણ મહિના માટે મંદિરમાં ફરજ પર રહેશે.
Comments
English summary
Security has been beefed up at Somnath Temple in view of Shravan festivals
Story first published: Friday, July 29, 2022, 9:48 [IST]