યુવકે ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા, કારણ જણાને ચોંકી જશો
મૃતક સ્મિત ગોરવાડિયાને તાજેતરમાં બઢતી આપવામાં આવી હતી અને તેમને જૂનાગઢ, ભાવનગર અને જામનગર સહિત ત્રણ જિલ્લાના માર્કેટિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. એક જિલ્લામાં સત્તાવાર પ્રવાસ બાદ સ્મિત સોમવારના રોજ ઘરે પરત ફર્યો હતો.
રાજકોટ : વડોદરા સ્થિત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) કંપનીમાં કામ કરતા 23 વર્ષીય યુવકે સોમવારની મોડી રાત્રે શહેરના કુંભારવાડા વિસ્તારમાં તેના ઘરે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક સ્મિત ગોરવાડિયાને તાજેતરમાં બઢતી આપવામાં આવી હતી અને તેમને જૂનાગઢ, ભાવનગર અને જામનગર સહિત ત્રણ જિલ્લાના માર્કેટિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. એક જિલ્લામાં સત્તાવાર પ્રવાસ બાદ સ્મિત સોમવારના રોજ ઘરે પરત ફર્યો હતો. જો કે, તેની તેના કાકા મહેન્દ્ર સાથે શાબ્દિક બોલાચાલી થઈ હતી, જેમણે તેને તેના પગારનો પૂરતો હિસ્સો ઘરે ન આપવા બદલ ઠપકો આપ્યો હતો.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી જે. બી. વસાવાએ જણાવ્યું હતું કે, "પ્રાથમિક તપાસ સૂચવે છે કે, સ્મિત તેના કાકા સાથેની લડાઈ બાદ અત્યંત નારાજ થયો હતો અને તેણે આકરું પગલું ભર્યું હતું. તે તેના રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતો મળી આવ્યો હતો".
સ્મિતના પિતા ઈંટનો નાનો ભઠ્ઠો ચલાવે છે અને તે બે ભાઈઓમાં નાનો હતો અને બંને અપરિણીત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્મિતે રાજકોટ શહેર સ્થિત મારવાડી યુનિવર્સિટીમાંથી એમબીએ પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ તેને આઈટી ફર્મમાં નોકરી મળી હતી.












Click it and Unblock the Notifications
