4 ટ્રેનો રિશેડ્યુલ કરાઇ, જાણો અને અસુવિધાથી બચો
Surat : મુંબઈ અને વલસાડથી ઉપડતી અને ગુજરાતના જિલ્લાઓમાંથી પસાર થતી ચાર ટ્રેનોનું આજનું સમયપત્રક રિશેડ્યુલ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે પર મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરે આ માહિતી આપી હતી. શેડ્યૂલ ફેરફારોની વિગતો આ અહેવાલમાં જણાવવામાં આવી છે.
ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ - 28 ડિસેમ્બરના રોજ 12:00 કલાકે ઉપડવાની હતી, તે બાંદ્રા ટર્મિનસથી 18:45 કલાકે ઉપડવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.

ટ્રેન નંબર 12909 બાંદ્રા ટર્મિનસ-નિઝામુદ્દીન ગરીબ રથ એક્સપ્રેસ - 28 ડિસેમ્બરના રોજ 17:30 કલાકે ઉપડવાની હતી, તે બાંદ્રા ટર્મિનસથી 18:30 કલાકે ઉપડવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
ટ્રેન નંબર 09007 વલસાડ-ભિવાની સ્પેશિયલ - 28 ડિસેમ્બરના રોજ 13:50 કલાકે ઉપડનારી ટ્રેનને વલસાડથી 15:50 કલાકે ઉપડવાનું રિશેડ્યુલ કરવામાં આવ્યું છે.
ટ્રેન નંબર 12953 મુંબઈ સેન્ટ્રલ-નિઝામુદ્દીન ઑગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસ - આ ટ્રેન 28 ડિસેમ્બરે 17:10 કલાકે ઉપડવાની હતી, તે મુંબઈ સેન્ટ્રલથી 19:30 કલાકે ઉપડવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ સુરતમાંથી પસાર થાય છે. ગુજરાતમાં ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા અને પાલનપુર પર ઉભી રહેશે.
બાંદ્રા ટર્મિનસ-નિઝામુદ્દીન ગરીબ રથ એક્સપ્રેસ સુરત અને વડોદરામાંથી પસાર થાય છે, જ્યારે વલસાડ-ભિવાની સ્પેશિયલ ટ્રેન વલસાડથી ઉપડે છે, અને સુરત અને વડોદરામાંથી પસાર થાય છે. મુંબઈ સેન્ટ્રલ-નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસ ગુજરાતના વાપી, વલસાડ, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર સ્ટોપ ધરાવે છે.












Click it and Unblock the Notifications
