સુરતની સ્મીમેર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરને દોડાવનાર ચાર સિનિયર ડોક્ટરો સામે કાર્યવાહી કરાઈ!
સ્મીમેર હોસ્પિટલના જુનિયર તબીબને થાકી ન જાય ત્યાં સુધી સિનિયરો દ્વારા દોડાવવામાં આવ્યા હતા. આ મામલે નિમાયેલી કમિટીની તપાસમાં રેસિડેન્ટ ડોક્ટરોની ગેરવર્તણૂક સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત : સ્મીમેર હોસ્પિટલના જુનિયર તબીબને થાકી ન જાય ત્યાં સુધી સિનિયરો દ્વારા દોડાવવામાં આવ્યા હતા. આ મામલે નિમાયેલી કમિટીની તપાસમાં રેસિડેન્ટ ડોક્ટરોની ગેરવર્તણૂક સામે કાર્યવાહી કરવામાં આવી છે. રેગિંગમાં સામેલ ચાર સિનિયર ડોક્ટરોને 60 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીર હોસ્પિટલમાં એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં દોડાવીને ઓર્થોપેડિક વિભાગના જુનિયર તબીબનું સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. સિનિયર તબીબો દ્વારા જુનિયર તબીબોની હેરાનગતિના આક્ષેપોની તપાસ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. અભ્યાસનો ભાગ ન હોવા છતાં જુનિયર તબીબોને દોડાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ હતું.
એક જુનિયર ડોક્ટરે સ્મીર હોસ્પિટલના ડીન તેમજ અન્ય સિનિયર ડોક્ટરો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ મામલાની તપાસ માટે નિમાયેલી કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો હતો. તપાસ રિપોર્ટમાં રિપોર્ટ રજૂ કરતા કમિટીએ કહ્યું કે જુનિયર ડોક્ટરોના રેગિંગના મામલામાં સિનિયર ડૉક્ટરોની જ ભૂલ છે. જેના આધારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચાર તબીબોને સાઠ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. સ્મીર હોસ્પિટલના ડીન ડો. દિપક હોવેલે તપાસ સમિતિની રચના કરી હતી. તપાસ સમિતિમાં પાંચ વિભાગના વડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક મેડિસિન, એનાટોમિકલ, રેડિયોલોજી, સાયકિયાટ્રિક અને સર્જરી વિભાગના વડાઓએ સમગ્ર પ્રકરણની તપાસ કરી હતી. આજે સવારે તમામ વિભાગોના વડાઓ સાથે વિસ્તૃત બેઠક પણ યોજાઈ હતી.
તેમણે કેસ સાથે સંકળાયેલા ડોકટરો અને ઘટનાના સાક્ષી રહેલા સ્ટાફ સાથે પણ વાત કરી. જે રીતે જુનિયરોને હોસ્પિટલમાં દોડાવવામાં આવ્યા તે ક્યારેય કોઈપણ પ્રકારની તાલીમનો ભાગ નથી. તેમને રેગિંગના હેતુથી હેરાન કરવાની માનસિકતા સાથે સજાના ભાગરૂપે દોડાવવામાં આવ્યા હતા જે ખોટું છે. અમે સઘન તપાસ કરી રહ્યા છીએ. તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જુનિયર તબીબ સાથે ગેરવર્તણૂક કરી હોવાનું પુરવાર થયું છે. સમગ્ર ઘટનાનો મોબાઈલ વીડિયો પણ વાયરલ થયો હતો. જેના આધારે તે સમયે હાજર તમામ લોકોની ફેરતપાસ કરી તેમના નિવેદન લેવામાં આવ્યા હતા. જે બાદ તપાસ સમિતિએ આ કડક નિર્ણય લીધો છે.












Click it and Unblock the Notifications
