ચૌકાવનારી ઘટના, વૃદ્ધ મહિલાની આંખમાંથી 40 ઈયળો નીકળી!
આજના યુગમાં આપણે અનોખા રોગો વિશે જાણીએ છીએ. પૃથ્વી પર નવા રોગ અને વાયરસ દેખાઈ રહ્યા છે, જેનું નામ સાંભળતા જ હાલત ખરાબ થઈ જાય છે.
સુરત : આજના યુગમાં આપણે અનોખા રોગો વિશે જાણીએ છીએ. પૃથ્વી પર નવા રોગ અને વાયરસ દેખાઈ રહ્યા છે, જેનું નામ સાંભળતા જ હાલત ખરાબ થઈ જાય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક વૃદ્ધ મહિલાની આંખમાંથી 40 જેટલી ઈયળોને સર્જરી કરીને કાઢી નાખવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદાના સાગબારા તાલુકાના ઓપડવાવ વિસ્તારમાં રહેતા દિતુબેન સુરજીભાઈ તેમના પુત્ર સાથે રહે છે. તેની આંખ સૂજી ગઈ હતી, અને લોહી આવી રહ્યું હતું. આંખના દુખાવાથી બચવા તે તડકામાં બેસતી. પરંતુ પુત્રને આ બાબતની જાણ થતાં તે માતાને દવાખાને લઈ ગયો, જ્યાં ખબર પડી કે વૃદ્ધ દિતુબેનની આંખમાં ઈયળો ભરાઈ છે. આંખમાં એક-બે ઈયળ હોય તો સમજી શકાય તેમ હતું, પરંતુ વૃદ્ધ મહિલાની આંખમાં વધુ 40 જેટલી ઈયળો નીકળી હતી. તેના પર ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ડોક્ટરો પણ ગભરાઈ ગયા હતા.
આ ઑપરેશન કરનાર તેજસ હૉસ્પિટલના ડૉ. ઉદય ગાજીવાલા કહે છે કે સારું થયું કે આંખની સડો મગજમાં ફેલાયો નથી, નહીંતો વધુ નુકસાન થઈ શક્યું હોત. મગજ પર તેની અસર થઈ છે કે કેમ તે જાણવા માટે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. પણ મગજ સુધી સડો ન પહોંચ્યો એ જાણીને અમને રાહત થઈ છે.