સુરતનો જહાંગીરપુરા-ડભોલી બ્રિજ આજથી 78 દિવસ માટે આંશિક બંધ રહેશે, જાણો કેમ?
સુરતના જહાંગીરપુરા અને ડભોલી વિસ્તારને જોડતા મહત્વના બ્રિજનો એક તરફનો માર્ગ આજ રાતથી બંધ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી 78 દિવસ સુધી આ રસ્તો બંધ રહેશે.

વર્ષ 2011માં કાર્યરત થયેલા આ બ્રિજના ટેકનિકલ રિપોર્ટમાં ગંભીર મરામતની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે. અગાઉ રણજીત કન્સ્ટ્રક્શન દ્વારા નિર્મિત આ બ્રિજની મજબૂતી જાળવવા પાલિકાએ તાકીદે રિપેરિંગ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રિજ બંધ થવાથી ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરીક્ષાર્થીઓએ હવે પોતાના કેન્દ્ર સુધી પહોંચવા માટે અંદાજે 4 થી 5 કિલોમીટરનો લાંબો ચકરાવો લેવો પડશે.
વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષા ખંડમાં પહોંચવા માટે ઘરેથી વહેલા નીકળવું પડે તેમ હોવાથી આગોતરું આયોજન અનિવાર્ય બન્યું છે. પરીક્ષાના મહત્વના સમયે જ બ્રિજ બંધ કરવાના પાલિકાના નિર્ણયથી વાલીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
