સુરતનો જહાંગીરપુરા-ડભોલી બ્રિજ આજથી 78 દિવસ માટે આંશિક બંધ રહેશે, જાણો કેમ?
સુરતના જહાંગીરપુરા અને ડભોલી વિસ્તારને જોડતા મહત્વના બ્રિજનો એક તરફનો માર્ગ આજ રાતથી બંધ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી 78 દિવસ સુધી આ રસ્તો બંધ રહેશે.

વર્ષ 2011માં કાર્યરત થયેલા આ બ્રિજના ટેકનિકલ રિપોર્ટમાં ગંભીર મરામતની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે. અગાઉ રણજીત કન્સ્ટ્રક્શન દ્વારા નિર્મિત આ બ્રિજની મજબૂતી જાળવવા પાલિકાએ તાકીદે રિપેરિંગ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રિજ બંધ થવાથી ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરીક્ષાર્થીઓએ હવે પોતાના કેન્દ્ર સુધી પહોંચવા માટે અંદાજે 4 થી 5 કિલોમીટરનો લાંબો ચકરાવો લેવો પડશે.
વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષા ખંડમાં પહોંચવા માટે ઘરેથી વહેલા નીકળવું પડે તેમ હોવાથી આગોતરું આયોજન અનિવાર્ય બન્યું છે. પરીક્ષાના મહત્વના સમયે જ બ્રિજ બંધ કરવાના પાલિકાના નિર્ણયથી વાલીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
