Surat: GSRTC સુરત ઝોને આ દિવાળીમાં દોડાવી વધુ બસો, આવકના તમામ રેકોર્ડ તોડ્યા
Surat: GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ના સુરત ઝોને આ દિવાળીની સિઝનમાં વધારાની બસો દોડાવીને વિક્રમી આવક ઊભી કરી છે. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, તેણે લગભગ 1 લાખ મુસાફરોને લઈ જવામાં આવ્યા હતા અને રૂપિયા 3.42 કરોડ એકત્ર કર્યા હતા, જે ગયા વર્ષે રૂપિયા 3.17 કરોડથી વધુ હતા.
દિવાળીની રજાઓ દરમિયાન સુરતમાં નોકરીના સ્થળેથી તેમના વતન જિલ્લાઓ અને ગામડાઓમાં જતા મુસાફરોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે 7 થી 11 નવેમ્બર દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જુદા જુદા સ્થળોએ વધારાની બસો શરૂ કરી હતી. જેથી મુસાફરોને ખાનગી બસ ઓપરેટર્સને વધુ પૈસા ચૂકવવા ન પડે.

થોડા દિવસો પહેલા ગૃહ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ ખાનગી બસ ઓપરેટર્સને તહેવારોની સિઝનમાં મુસાફરી ભાડામાં વધારો ન કરવા જણાવ્યું હતું અને કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી.
સોમવારના રોજ સંઘવી અને GSRTC ના એમડી એમ એ ગાંધી, GSRTC ના સુરત વિભાગીય નિયંત્રક પંકજ ગુર્જર સાથે, ડ્રાઇવર્સ, કંડક્ટર્સ અને કર્મચારીઓને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
GSRTC સુરત ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરતથી 14 સ્થળોએ 1,737 ટ્રીપ કરવામાં આવી હતી અને બસોએ 96,400 મુસાફરોને લઈને 6.74 લાખ કિલોમીટરથી વધુ મુસાફરી કરી હતી.
અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, ગડિયાધાર, જૂનાગઢ, રાજકોટ અમદાવાદ, ઝાલોદ, દાહોદ, લુણાવાડા, ઉના છોટા ઉદેપુર, બારીયા એવા કેટલાક સ્થળો છે, જ્યાં બસોએ ટ્રીપ કરી હતી.
સુરતથી ઝાલોદ સુધીની સૌથી વધુ આવક રૂપિયા 13.28 લાખમાં 4,284 મુસાફરોને લઈને 68 ટ્રિપ્સ સાથે થઈ હતી. આ સિવાય ગ્રુપ બુકિંગ કેટેગરી હેઠળ 16,577 મુસાફરોને લઈને 84 ટ્રિપ્સમાં 17.18 લાખ રૂપિયા મળ્યા હતા.
સુરતથી વિવિધ સ્થળોએ મુસાફરીનું ભાડું
- અમરેલી રૂપિયા 400
- ભાવનગર રૂપિયા 350
- સાવરકુંડલા રૂપિયા 425
- રાજકોટ રૂપિયા 385
- મહુવા રૂપિયા 405
- તળાજા રૂપિયા 350
- ગડિયાધાર રૂપિયા 385
- ગઢડા રૂપિયા 375
- જૂનાગઢ રૂપિયા 435
- જામનગર રૂપિયા 445
- અમદાવાદ રૂપિયા 280
- ડીસા રૂપિયા 385
- પાલનપુર રૂપિયા 375
- દાહોદ રૂપિયા 305
- ઝાલોદ રૂપિયા 310
GSRTCના સુરત ડિવિઝનલ કંટ્રોલર પંકજ ગુર્જરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે વધારાની બસો વરાછાના જીવરાજ ધારુકાવાલા કોલેજ ગ્રાઉન્ડથી દોડાવવામાં આવી હતી, જ્યારે મધ્ય ગુજરાત દાહોદ, પંચમહાલ વગેરે માટે દોડતી બસો સુરત રેવલે નજીકના સુરત સેન્ટ્રલ બસ સ્ટોપ પરથી દોડાવવામાં આવી હતી. સ્ટેશન હેતુ એ હતો કે, લોકો સરળતાથી ધારુકાવાળા મેદાન સુધી પહોંચવા માટે વરાછા અને કડોદરાથી સૌરાષ્ટ્ર માટે બસ પસંદ કરે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વખતે સુરતથી મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં કોઈ વધારાની બસો દોડાવવાની ન હતી, અને ફક્ત નિયમિત બસો, લગભગ 50, શેડ્યૂલ પર મૂકવામાં આવી હતી. કારણ કે, મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટે મહિલાઓ માટે ટિકિટ ભાડામાં 50 ટકાનો ઘટાડો કર્યો હતો અને રાજ્યની બસોમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકો માટે મફત મુસાફરી કરી હતી. લોકોએ મહારાષ્ટ્ર સરકારના આ લાભને પસંદ કર્યો અને GSRTC બસોમાં મુસાફરી કરવાનું ટાળ્યું હતું.












Click it and Unblock the Notifications
