દીકરી પેદા થઈ તો સાસરિયાવાળાએ ટોણા મારતા માએ ગળેફાંસો ખાધો
ગુજરાતમાં સુરતમાં રહેતી એક મહિલાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ લીધો છે.
ગુજરાતમાં સુરતમાં રહેતી એક મહિલાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ લીધો છે. વાસ્તવમાં મહિલાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. આના પર સાસરિયાવાળા તેને ટોણા મારવા લાગ્યા કહ્યુ કે દીકરી કેમ પેદા ન કર્યો. આ રીતે અન્ય રીતે પણ તેને ત્રાસ આપવા લાગ્યા. ત્રાસીને મહિલાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
પોલિસે જણાવ્યુ કે આ કેસમાં 6 લોકો સામે મહિલાને આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ નોંધ્યો છે. મૃતકોના ઘરવાળા તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમની દીકરી ઉષાના લગ્ન વર્ષ 2017માં કિશોર ફૂલમાળી સાથે થયા હતા. જ્યાં તેમને એક બાળકી પેદા થઈ. આનાથી સાસરિયાવાળા નારાજ થઈ ગયા. ઉષાની નાની બહેન જ્યારે પણ ઉષાને મળવા જતી તો ઉષાનો પતિ, સાસુ અને નણંદ તેેને રોકી દેતા અને ફરીથી ઉષાને મળવા ન આવવાની સલાહ આપતા હતા.
ફરિયાદમાં પીડિત પક્ષ તરફથી એ પણ જણાવવામાં આવ્યુ કે ગઈ 29 જૂને જ્યારે ઉષાના નાના ભાઈ રોહિત દાસના ગામમાં લગ્ન હતા તો પણ સાસરિયાવાળાએ કોરોના મહામારીનો જર બતાવીને ઉષાના ભાઈ રોહિતદાસના લગ્નમાં ન આવવા દીધા. ત્યારબાદ રક્ષાબંધનના દિવસે કોઈ રીતે ઉષા પિયરે ભાઈને રાખડી બાંધવા આવી અને પછી તરત જ પાછી પણ જતી રહી. 8 ઓગસ્ટે સાસરિયાઓએ ઉષા સાથે ફરીથી ઝઘડો કર્યો. એ દિવસે ઉષાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો.
કોંગ્રેસને ફરીથી જીવિત કરવા માટે રાહુલ ગાંધી સૌથી સક્ષમ વ્યક્તિઃ મૂડ ઑફ ધ નેશન