ચીનમાં કોહરામ મચાવતા BF.7 વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, સાવચેત રહેજો
ચીનમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે, ત્યા એવી પરિસ્થિતિ છે કે, કોરોના સંક્રમિત દર્દીના મોત થવાને કારણે સ્મશાનમાં મૃતદેહો માટે જગ્યા નથી. આ કોરોના સંક્રમણનું કારણ તેનો વેરિએન્ટ BF.7 છે.
ચીનમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે, ત્યા એવી પરિસ્થિતિ છે કે, કોરોના સંક્રમિત દર્દીના મોત થવાને કારણે સ્મશાનમાં મૃતદેહો માટે જગ્યા નથી. આ કોરોના સંક્રમણનું કારણ તેનો વેરિએન્ટ BF.7 છે. આ વચ્ચે હવે ભારત માટે ચિંતા જનક સમચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં BF.7 વેરિએન્ટની પુષ્ટી કરવામાં આવી છે. આ વેરિએન્ટે ચીનમાં તરખાટ મચાવ્યો છે. ગુજરાતના આરોગ્ય વિભાગ આ માટે સચેત છે અને તેને ફેલાતો રોકવા માટે જરૂરી પગલા પણ લેવામાં આવી રહ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ, વડોદરામાં એક NRI મહિલા કોરોના વાયરસથી સંક્રમિત છે. તે 9 નવેમ્બરના રોજ વિદેશથી પરત આવી હતી. થોડા દિવસો બાદ તેને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું છે. જ્યારે તેમની વિગતવાર તપાસ કરવામાં આવી ત્યારે BF.7 વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી.
ભારતમાં BF.7 વેરિઅન્ટનો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવે છે. જોકે, વૈજ્ઞાનિક આશંકા ચાલુ છે કે, વિદેશથી પાછા ફરેલા અન્ય ઘણા લોકો પણ તેની ઝપેટમાં આવી શકે છે. આવી સ્થિતિમાં દરેકની તપાસ કરવી જરૂરી છે. બીજી તરફ ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જુલાઈ-ઓકટોબર-નવેમ્બર-2022માં ઓમિક્રોનના BF.7 અને BF 12 પ્રકારોથી સંક્રમિત બે દર્દીઓ નોંધાયા હતા. આ દર્દીઓને હોમ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી હતી અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.
કેન્દ્ર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ
બીજી તરફ કેન્દ્ર પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારના રોજ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન કોરોનાની સ્થિતિ અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે જણાવ્યું હતું કે, ગભરાવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર અને તેની ટીમ આ બાબત પર નજીકથી નજર રાખી રહી છે. આ બેઠકમાં દર અઠવાડિયે સમીક્ષા બેઠક યોજવામાં આવશે, તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, લોકોએ હવે ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા જોઈએ. આ સિવાય તમામ પાત્રતા ધરાવતા લોકોએ બૂસ્ટર ડોઝ લેવો જોઈએ.
BF.7ના લક્ષણ શું છે?
વૈજ્ઞાનિકોના મતે, BF.7 જે ચીનમાં ફેલાયો છે તે BF.5 નું પેટા પ્રકાર છે. તેનું વૈજ્ઞાનિક નામ BA.5.2.1.7 છે. જોકે, આ વેરિઅન્ટ નવું છે, તેના પર હજૂ ઘણું સંશોધન કરવાનું બાકી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાપર અનુસાર, આ પ્રકાર લોકોને ખૂબ જ જલ્દી શિકાર બનાવે છે. તેના લક્ષણો પણ જલ્દી દેખાવા લાગે છે. આ પ્રકાર શ્વસનતંત્રના ઉપલા ભાગને સંક્રમણ લગાવે છે.
સમીક્ષા બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, સમીક્ષા બેઠકમાં બોલાવી હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોવિડ-19 માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ આજથી દેશના એરપોર્ટ પર શરૂ થઈ ગયા છે.
આવા સમયે ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ તમામ કોવિડ-19 પોઝિટિવ કેસોના સેમ્પલ INSACOG લેબોરેટરીમાં મોકલે છે, જેથી કરીને નવા વેરિએન્ટ શોધી શકાય છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
