આઇટીઆઇ ગોધરા ખાતે સંયાર બ્યૂરો દ્વારા ચિત્ર પ્રદર્શન યોજાયુ!
ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યૂરો ગોધરા દ્વારા આઈ.ટી.આઈ. દશરથ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બે દિવસીય ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયો છે.
ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યૂરો ગોધરા દ્વારા આઈ.ટી.આઈ. દશરથ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બે દિવસીય ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયો છે. આ પ્રદર્શનને GSFCનાં વાઈસ પ્રેસીડન્ટ દિગંત ત્રિવેદી તથા નાયબ નિયામક વડોદરાના આર. આર. પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ.

આ ફોટો પ્રદર્શનમાં આઝાદીના અમૃત મહોત્સવ, સ્વચ્છ ભારત તેમજ મતદાન જાગૃતતા જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ફોટો પ્રદર્શનનો આઈ. ટી. આઈ.નાં તાલીમાર્થીઓ તેમજ વડોદરાના સ્થાનિક રહેવાસીઓએ પ્રદર્શન નિહાળી તેનો લાભ લીધો હતો. ફોટો પ્રદર્શન કાર્યક્રમની સાથે કેન્દ્રીય સંચાર બ્યૂરો ગોધરા દ્વારા આઈ. ટી. આઈ. દશરથના તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્કીલ જોબ અને મોડેલ નિર્દશન માટે રાખવામાં આવ્યા હતા.
આ સ્કીલ જોબ અને મોડેલ દ્વારા લોકોને આઈ.ટી.આઈ.માં ચાલતા વિવિધ વ્યવસાયોમાં અપાતી સ્કીલ તાલીમ વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી. રોજગાર કચેરી વડોદરાનો સ્ટોલ અને ચૂટણી શાખા દ્વારા નામ નોંધણી અને મતદાન જાગૃતતા માટે પણ સ્ટોલમાં રાખવામાં ઊભા કરવામાં આવ્યા છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે દિગંત ત્રિવેદીએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતુ કે, અમૃતકાળમાં સમૃદ્ધ, સશક્ત અને સંપન્ન રાષ્ટ્રનું નિર્માણ કરવા આપણે સૌ કટિબદ્ધ થઇ દેશને વિકાસ તરફ લઇ જવા અનુરોધ કર્યો હતો. આર. આર. પટેલે સ્વાતંત્ર્ય સૈનાનીઓના સ્વપ્નના ભારતનું નિર્માણ સૌ સાથે મળી કરવા પર ભાર મુક્યો હતો.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
