પોરબંદરની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ ટીમ દ્વારા ગંભીરા બ્રિજ પરથી ટેન્કરનું સફળ રેસ્ક્યુ કરાયુ
ગંભીરા ખાતે પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવા માટે એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ જટિલ અને પડકારજનક કામગીરી પોરબંદર સ્થિત વિશ્વકર્મા ગ્રુપના MERCC મરીન ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના નિષ્ણાતો દ્વારા પાર પાડવામાં આવી હતી. આ ટીમની કુશળતા અને અદ્યતન સાધનોના ઉપયોગથી ભારે ટેન્કરને સુરક્ષિત રીતે પુલ પરથી ઉતારી લેવાયુ છે.

જણાવી દઈએ કે, ગંભીરા બ્રિજ તુડી પડ્યા બાદ ગુજરાતમાં ભારે હંગામો સર્જાયો હતો અને સરકારે ઘણા બ્રિજની તપાસ શરૂ કરી હતી.
પાદરા તાલુકાનો આ બ્રિજ તુટતા 20 જેટલા લોકોના મોત થયા હતા અને દિવસો સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતુ. આ ઘટનાએ સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર પર પ્રકાશ પાડ્યો છે.












Click it and Unblock the Notifications
