વડોદરા: મહાશિવરાત્રિના દિવસે નોન-વેજ ફૂડના વેચાણ પર પ્રતિબંધ
Vadodara News, Mahashivratri 2024: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ એક જાહેરનામું દ્વારા મહાશિવરાત્રીના અવસરે 8મી માર્ચે માંસાહારી ખોરાકના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
મહાશિવરાત્રિના શુભ અવસરને ધ્યાનમાં રાખીને, VMCએ 8મી માર્ચના રોજ માંસાહારી દુકાનો બંધ રાખવાનો આદેશ આપતા નોટિફિકેશન બહાર પાડ્યું છે. નાગરિક સંસ્થા તહેવારને ધ્યાનમાં રાખીને કતલખાનાઓ પણ બંધ રાખશે.

8 માર્ચના રોજ દુકાનો ખોલીને માંસ વેચનારા વેપારીઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ભગવાન શિવના ભક્તોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
