Vadodara: ગણપતિ પંડાલ બનાવતી સમયે 15 લોકોને લાગ્યો વીજ કરંટ, 1નું મોત
Vadodara, Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીની તૈયારી સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચાલી રહી છે. હાલ બાપાના આગમન પૂર્વે તેમના માટે પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવામાં ઘણીવાર અકસ્માત સર્જાય છે. આવો જ એક અકસ્માત વડોદરા જિલ્લામાં સર્જાયો છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ડબકા ગામમાં ગણપતિ ઉત્સવ માટે પંડાલ ઊભો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન 15 યુવકોને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આ ઘટનામાં 15 યુવકને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક વ્યક્તિએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય 14 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લોખંડની એંગલ 11 KW પાવર લાઇનના સંપર્કમાં આવતા આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં પ્રકાશ ડાયાભાઈ જાદવ, ઉર્ફે સચિને ગણપતિ પંડાલના નિર્માણમાં ભાગ લેતા સમયે જીવ ગુમાવ્યો હતો.
આ ઘટના મંગળવારે રાત્રે 11:30 કલાકે બની હતી, જ્યારે પંડાલ માટે ઉપયોગમાં લેવાતો લોખંડનો એંગલ હાઇ-ટેન્શન લાઇનને સ્પર્શી ગયો હતો, જેના કારણે 15 લોકો વીજ કરંટ લાગ્યા હતા.
અન્ય 14 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા પાદરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
