Vadodara: ગણપતિ પંડાલ બનાવતી સમયે 15 લોકોને લાગ્યો વીજ કરંટ, 1નું મોત
Vadodara, Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીની તૈયારી સમગ્ર રાજ્યમાં જોરશોરથી ચાલી રહી છે. હાલ બાપાના આગમન પૂર્વે તેમના માટે પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવામાં ઘણીવાર અકસ્માત સર્જાય છે. આવો જ એક અકસ્માત વડોદરા જિલ્લામાં સર્જાયો છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ડબકા ગામમાં ગણપતિ ઉત્સવ માટે પંડાલ ઊભો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન 15 યુવકોને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આ ઘટનામાં 15 યુવકને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક વ્યક્તિએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય 14 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લોખંડની એંગલ 11 KW પાવર લાઇનના સંપર્કમાં આવતા આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં પ્રકાશ ડાયાભાઈ જાદવ, ઉર્ફે સચિને ગણપતિ પંડાલના નિર્માણમાં ભાગ લેતા સમયે જીવ ગુમાવ્યો હતો.
આ ઘટના મંગળવારે રાત્રે 11:30 કલાકે બની હતી, જ્યારે પંડાલ માટે ઉપયોગમાં લેવાતો લોખંડનો એંગલ હાઇ-ટેન્શન લાઇનને સ્પર્શી ગયો હતો, જેના કારણે 15 લોકો વીજ કરંટ લાગ્યા હતા.
અન્ય 14 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા પાદરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
