આજવા ડેમ અને પ્રતાપપુરામાંથી પાણી છોડાયું, વડોદરા શહેર પર થશે અસર?
Vadodara Rains: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ આજવા ડેમમાંથી તેના તમામ 62 દરવાજા ખોલીને 9,120 ક્યુસેક પાણી છોડ્યું છે. પ્રતાપપુરા જળાશયમાંથી પણ પાણી છોડવામાં આવે છે.
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પાણી વહેશે. જોકે, આજવા અને પ્રતાપપુરામાંથી પાણી છોડતા પહેલા વિશ્વામિત્રીનું સ્તર 13 ફૂટથી ઓછું થઈ ગયું છે. તેથી નદી 26 ફૂટના ભયના સ્તરની નજીક જઈ રહી નથી.
VMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આજવાનું જળસ્તર આજે 213.65 ફૂટ છે, જ્યારે વિશ્વામિત્રીનું જળસ્તર 12.63 ફૂટ છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદ નથી. આજે વડોદરા શહેરમાં સૂર્યપ્રકાશ પણ જોવા મળ્યો હતો.
વિશ્વામિત્રીના પૂરના પાણીમાં ઘટાડો થયો છે, અને વિશ્વામિત્રી નદીનું સ્તર 12.63 ફૂટ પર સુરક્ષિત છે, જ્યારે આજવાનું સ્તર 213.65 ફૂટ છે. જેથી વહીવટીતંત્રે આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલવાનો નિર્ણય લીધો છે.

વિશ્વામિત્રીના કેચમેન્ટમાં વરસાદ નથી અને પાણી છોડવા માટે આ સલામત તબક્કો છે. પ્રશાસન વિશ્વામિત્રીના સ્તર પર ચાંપતી નજર રાખી રહ્યું છે, પરંતુ અમારો ભૂતકાળનો અનુભવ સૂચવે છે કે, નદીનું સ્તર કોઈ સમસ્યા ઊભી કરશે નહીં.
નોંધનીય છે કે, વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂરને કારણે સરકારે આજવા અને પ્રતાપપુરામાંથી 213.65 ફૂટના લેવલે પાણી છોડવાનું થોભાવવાનો નિર્ણય લીધો છે, જ્યારે નિયમ મુજબ તે 212 ફૂટ લેવલ નીચે લાવવાની જરૂર હતી. આ નિર્ણયને કારણે વિશ્વામિત્રીના પૂરનું પાણી 24 કલાકથી વધુ સમય બાદ ઓછુ થયું.
213.85 લેવલ પર આજવા તેની મિકેનિઝમ મુજબ પોતાની મેળે પાણી છોડશે, પરંતુ વરસાદ બંધ થઈ ગયો અને આજવાનું લેવલ 213.75 પર ગયા પછી ફરી 213.65 થઈ ગયું હતું.
VMC હવે ધીમે ધીમે નિયમ મુજબ આજવા ખાતેનું સ્તર નીચું લઈ જશે, જેથી સપ્ટેમ્બરમાં વરસાદની આગામી સ્પેલ વધુ જટિલ પરિસ્થિતિનું નિર્માણ ન કરી શકે.












Click it and Unblock the Notifications
