મક્કામાં ભીષણ ગરમીથી 1000 હજયાત્રીઓનાં મોત, 68 ભારતીયો પણ સામેલ
એક તરફ ભારતમાં આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. તે જ સમયે, સાઉદી અરેબિયામાં પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે આકરી ગરમી વચ્ચે મક્કામાં હજ દરમિયાન 1000થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા છે.
આ મૃતકોમાં 68 ભારતીય નાગરિકો પણ સામેલ છે. એએફપીના અહેવાલ મુજબ સાઉદી અરેબિયામાં હજ દરમિયાન મૃત્યુઆંક 1,000ને વટાવી ગયો છે. માર્યા ગયેલા મોટા ભાગના અનરજિસ્ટર્ડ યાત્રાળુઓ છે.

સાઉદી અરેબિયાના એક રાજદ્વારીએ બુધવારે જણાવ્યું કે, આ વર્ષે હજ યાત્રા દરમિયાન 68 ભારતીય નાગરિકોના મોત થયા છે. અમે લગભગ 68 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમાંથી કેટલાક કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા, જેમાં ઘણા વૃદ્ધ યાત્રાળુઓનો સમાવેશ થાય છે અને કેટલાક હવામાનની સ્થિતિને કારણે મૃત્યુ પામ્યા છે.
આરબ રાજદ્વારીઓએ જણાવ્યું કે, મૃતકોમાં 323 ઇજિપ્તવાસીઓ અને 60 જોર્ડનનો સમાવેશ થાય છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ ઇજિપ્તવાસીઓના મૃત્યુનું કારણ ગરમી છે. ઇન્ડોનેશિયા, ઈરાન, સેનેગલ અને ટ્યુનિશિયા સહિતના અન્ય દેશોએ પણ મૃત્યુની પુષ્ટિ કરી છે, જો કે ઘણા કિસ્સાઓમાં અધિકારીઓએ કારણ જાહેર કર્યું નથી.
AFP અનુસાર, અત્યાર સુધીમાં કુલ 1000 લોકોના મોત થયા છે. ગયા વર્ષે 200 થી વધુ યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયન હતા. સાઉદી અરેબિયાએ મૃત્યુની માહિતી આપી નથી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
