પાકિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બોમ્બ ધમાકો, 20 ના મોત, 65 ઘાયલ
પાકિસ્તાનના પેશાવરમાં ચૂંટણી રેલી દરમિયાન બોમ્બ ધમાકામાં 20 લોકોના મોત નીપજ્યા છે.
પાકિસ્તાનના પેશાવરમાં ચૂંટણી રેલી દરમિયાન બોમ્બ ધમાકામાં 20 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં સ્થાનિક નેતા હારુન બિલોક પણ શામેલ છે. જાણકારી અનુસાર આ બોમ્બ ધમાકો આત્મઘાતી બોમ્બ ધમાકાથી થયો છે. આ ધમાકો આવામી નેશનલ પાર્ટીની ચૂંટણી રેલી દરમિયાન થયો. જેમાં 65 લોકો ઘાયલ થયા છે. પોલિસ અનુસાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આ હુમલા પાછળ કોનો હાથ છે.

વળી, આ હુમલામાં ઈમરાન ખાને દુઃખ વ્યક્ત કરતા કહ્યુ કે હું હારુન બિલોર અને અન્ય 2 એએનપી કાર્યકર્યાઓના મૃત્યુથી દુઃખી છું અને આ હુમલાની આકરી નિંદા કરુ છું. ઈમરાન ખાને કહ્યુ કે બધા રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોને ચૂંટણી રેલી દરમિયાન સુરક્ષા આપવી જોઈએ.
બધા ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વળી, ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. જાણકારી અનુસાર રેલીમાં 300 થી વધુ લોકો શામેલ હતા. આ રેલી પેશાવરના ખૈબર પખ્તૂનવા પ્રાંતમાં ચાલી રહી હતી. અહીં આવામી નેશનલ પાર્ટીની સરકાર છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં 25 જુલાઈએ ચૂંટણી થવાની છે. સ્થાનિક મીડિયા અનુસાર વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે જેમાં ઘણા નેતા પણ શામેલ છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ હારુન બિલોરને હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયુ. એન્ટી બોમ્બ સ્કવોડે ધમાકાની પુષ્ટિ કરતા કહ્યુ કે 12 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ હુમલાની હજુ સુધી કોઈ આતંકી સંગઠને જવાબદારી લીધી નથી.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
