For Quick Alerts
For Daily Alerts
નેપાલની રાજધાની કાઠમંડુ નજીક વિમાન દુર્ધટનામાં 19 યાત્રીઓના મોત
પોલીસ પ્રવક્તા વિનોદ સિંહે જણાવ્યું હતું કે આજે સવારે 6.15 કલાકે વિમાને થોડીવાર પહેલાં કાઠમંડુ એરપોર્ટ પરથી લુકલા માટે ઉડાન ભરી હતી. લુકલા નેપાળનું પર્યટન સ્થળ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિમાનનો કાટમાળ મનોહરા નદી પાસે પડ્યો છે. રાહતકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિમાન દુર્ઘટના કયા કારણોસર સર્જાઇ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
નેપાળમાં નાના વિમાનો ઘણીવખત દુર્ઘટનાનો શિકાર બને છે. આ અગાઉ 15 મેના રોજ નેપાળના ઉત્તરી વિસ્તારમાં એક વિમાનઅડ્ડા પર વિમાન ઉતરણ વખતે દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 15 લોકોના મોત નિપજ્યાં હતાં.
Comments
English summary
All 19 people, mostly foreigners, aboard a Dornier aircraft of a private airlines were killed today as the plane crashed minutes after taking off from the Tribhuvan International Airport here.