For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાબુલમાં તાલિબાની હુમલામાં ત્રણ ભારતીયોના મોત

|
Google Oneindia Gujarati News

kabul
નવી દિલ્હી, 3 જુલાઇ : કાબુલમાં નાટો આપૂર્તિ કંપનીના પરિસરમાં તાલિબાન તરફથી કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ત્રણ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. જે સમયે એક મોટા ટ્રકમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ દ્વારા તાલિબાનનો હુમલો શરૂ થયો ત્યારે આ પરિસરમાં ત્રણ ભારતીયો કામ કરી રહ્યા હતા.

જોકે બે અથવા ત્રણ આતંકવાદીઓની 30થી 40 મિનિટ સુધી સુરક્ષા ગાડરેની સાથે અથડામણ ચાલી અને ત્યારબાદ તમામ હુમલાખોર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને કહ્યું કે કાબુલ હુમલામાં માર્યા ગયેલા ત્રણ ભારતીય નાગરિકોના મૃતદેહો માટે કાનૂની ઔપચારિકતાઓ પૂરી કરવામાં ભારતનું મિશન બધી જ મદદ કરી રહ્યું છે.

તાલિબાનના ટ્રક બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારીમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા હતા. આતંકવાદીઓના હુમલામાં નાટો આપૂર્તિ કંપની પરિસરનું પ્રવેશદ્વાર સંપૂર્ણ રીતે બરબાદ થઇ ગયું હતું.

English summary
Three Indians were on Wednesday killed in a Taliban suicide attack on a NATO supply company's compound in Kabul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X